Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > KEM અને TATA હૉસ્પિટલના કેન્સરના દર્દીઓને રસ્તે રખડતા કરી દેવામાં આવ્યા

KEM અને TATA હૉસ્પિટલના કેન્સરના દર્દીઓને રસ્તે રખડતા કરી દેવામાં આવ્યા

12 April, 2020 08:16 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

KEM અને TATA હૉસ્પિટલના કેન્સરના દર્દીઓને રસ્તે રખડતા કરી દેવામાં આવ્યા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


મુંબઈમાં કોરોના વાયરસ (COVID-19)ના દર્દીઓની સરખામણીમાંઅન્ય દર્દીઓ સાથે અપમાનજક વર્તન કરવામાં આવી રહ્યું છે. મુંબઈની KEM હૉસ્પિટલ અને TATA હૉસ્પિટલના પચાસ કરતા વધૂ દર્દીઓને હૉસ્પિટલમાંથી હિંદમાતા ફ્લાયઓવર નીચે શિફ્ટ કરવામાં આવદયા છે. કોરોનાની ગંભીર પરિસ્થિતીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળેલી માહિતિ પ્રમાણે, KEM હૉસ્પિટલ અને TATA હૉસ્પિટલના જે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે તેમાં 35 મહિલા અને બાકીના પુરૂષો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, હિંદમાતા ફ્લાયઓવર નીચે દર્દીઓને જ્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે ત્યાં શૌચાલયની પણ સુવિધા નથી. જે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના દર્દીઓ બિહાર, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશથી મુંબઈ સારવાર કરાવ્યા આવ્યા છે. કેન્સર પિડિત આ દર્દીઓની અત્યારે સારવાર પણ લગભગ બંધ થઈ ગઈ છે.



કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી કેન્સરના દર્દીઓને સારવાર આપવાનું બંધ કરવામાં આવ્યું છે. તેમજ બાકી દર્દિઓની તુલનામાં કોરોનાના દર્દીઓને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.


ભાજપના નેતા અને ભૂતપુર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આ બાબતે સરકારની ટીકા કરી છે અને કહ્યું હતું કે, રાજ્ય સરકાર બેજવાબદાર છે. આ બાબતે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2020 08:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK