KEM અને TATA હૉસ્પિટલના કેન્સરના દર્દીઓને રસ્તે રખડતા કરી દેવામાં આવ્યા
પ્રતિકાત્મક તસવીર
મુંબઈમાં કોરોના વાયરસ (COVID-19)ના દર્દીઓની સરખામણીમાંઅન્ય દર્દીઓ સાથે અપમાનજક વર્તન કરવામાં આવી રહ્યું છે. મુંબઈની KEM હૉસ્પિટલ અને TATA હૉસ્પિટલના પચાસ કરતા વધૂ દર્દીઓને હૉસ્પિટલમાંથી હિંદમાતા ફ્લાયઓવર નીચે શિફ્ટ કરવામાં આવદયા છે. કોરોનાની ગંભીર પરિસ્થિતીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.
મળેલી માહિતિ પ્રમાણે, KEM હૉસ્પિટલ અને TATA હૉસ્પિટલના જે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે તેમાં 35 મહિલા અને બાકીના પુરૂષો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, હિંદમાતા ફ્લાયઓવર નીચે દર્દીઓને જ્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે ત્યાં શૌચાલયની પણ સુવિધા નથી. જે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના દર્દીઓ બિહાર, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશથી મુંબઈ સારવાર કરાવ્યા આવ્યા છે. કેન્સર પિડિત આ દર્દીઓની અત્યારે સારવાર પણ લગભગ બંધ થઈ ગઈ છે.
ADVERTISEMENT
કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી કેન્સરના દર્દીઓને સારવાર આપવાનું બંધ કરવામાં આવ્યું છે. તેમજ બાકી દર્દિઓની તુલનામાં કોરોનાના દર્દીઓને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.
ભાજપના નેતા અને ભૂતપુર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આ બાબતે સરકારની ટીકા કરી છે અને કહ્યું હતું કે, રાજ્ય સરકાર બેજવાબદાર છે. આ બાબતે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.