Budget 2019:ચૂંટણીને કેટલું અસર કરશે બજેટ?
મોદી સરકારનું ચૂંટણી પર નિશાન
લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે બજેટ દ્વારા ખેડૂતો, મજૂરો, મિડલ ક્લાસ અને ગ્રામીણ વિસ્તારના લોકોને રાજી કરવાનો પ્રયત્ન કર્યો છે. ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે. તો મજૂરોને 3 હજાર રૂપિયા પેન્શન આપવાની જાહેરાત થઈ છે. સાથે જ ટેક્સ લિમિટ વધારવામાં આવી છે. વચગાળાના બજેટમાં મોદી સરકારે લોકસભાની ચૂંટણી 2019નો એજન્ડા સેટ કરવાની કોશિશ કરી છે.
મિડલ ક્લાસને ખુશ કરવાની કોશિશ
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પહેલા આવક વેરાની છૂટની મર્યાદા વધારીને 5 લાખ કરીને નોકરિયાત લોકોને મોટી રાહત આપી છે. આનાથી 3 કરોડો લોકોને ફાયદો થશે.
ખેડૂતોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ
લાંબા સમયથી દેશના ખેડૂતો મોદી સરકારથી નારાજ દેખાઈ રહ્યા છે. વારંવાર કેડૂતો દિલ્હી સુધી કૂચ કરીને વિરોધ પ્રદર્શિત કરી ચૂક્યા છે. ત્યારે ખેડૂતોના વોટ સાચવી લેવા પીએમ કિસાન સમ્માન નિધિ યોજના કામ લાગી શકે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. દેશના 12 કરોડ ખેડૂત પરિવારોને તેનો લાભ મળશે.
ગૌપાલનને પ્રોત્સાહન
મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ગાય એક મહત્વનો મુદ્દો બની ગઈ છે. કેન્દ્ર સરકારે ગૌપાલનને પ્રોત્સાહન આપવા પણ મહત્વનું પગલું લીધું છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે બજેટમાં ગૌપાલન માટે ખાસ જાહેરાત કરી છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 750 કરોડ ફાળવવાનું છે.
આ પણ વાંચોઃBudget 2019:5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
મજૂરોને રાજી કરવાનો પ્રયત્ન
મજૂરોને રાજી કરવા પર પણ કેન્દ્ર સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. કામદારો માટે ન્યૂ પેન્શન સ્કીમ શરૂ કરવાની જાહેરાત થઈ છે. સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા અને મહિને 21 હજાર કમાતા લોકોને વાર્ષિક 7 હજારનું બોનસ મળશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના મજૂરોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન મળશે.
અત્યાર સુધી આ દરેક ક્ષેત્રમાંથી મોદી સરકાર સામે અવાજ ઉઠી ચૂક્યો છે. અને હવે જ્યારે ચૂંટણી માથા પર છે, ત્યારે મોદી સરકારે દરેક ક્ષેત્રના લોકોને સાચવી લેવાની કોશિશ થઈ છે.