બીએસ ધનોઆ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થશે: બિપિન રાવત બન્યા COSકમિટીના પ્રમુખ
બિપિન રાવત બિપિન રાવત બન્યા ચીફ ઑફ સ્ટાફ કમિટીના પ્રમુખ
નવી દિલ્હી : (જી.એન.એસ.) વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ ચીફ ઑફ સ્ટાફ કમિટીની કમાન સેનાપ્રમુખ બિપિન રાવતને સોંપી હતી. બીએસ ધનોઆ ૩૦ સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. આ સાથે ચીફ ઑફ સ્ટાફ કમિટીનું પદ ખાલી થવાનું હતું
જેથી બિપિન રાવતને આ જવાબદારી સોંપવામાં આવી છે. ઍર માર્શલની હાજરીમાં બીએસ ધનોઆએ જનરલ બિપિન રાવતને ચીફ ઑફ કમિટીની બેટન સોંપી હતી. કમિટી સેના સાથે જોડાયેલા તમામ નિર્ણય લે છે.
જેના ત્રણેય સેનાના સૌથી વરિષ્ઠ અધિકારી ગણવામાં આવે છે. બીએસ ધનોઆ નિવૃતત્ત થયા બાદ વાયુસેનાની કમાન આરકેએસ ભદૌરિયાને સોંપવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે આ કમિટી ત્રણેય સેના વચ્ચે તાલમેલનું કામ કરે છે અને દેશમાં સુરક્ષા રણનીતિ બનાવે છે.