40 વર્ષ બાદ બદલયો B.Edનો કોર્સ, આ રીતે બની શકાશે શિક્ષક
40 વર્ષ બાદ બદલયો B.Edનો કોર્સ
હાલમાં જ બીએડનો 4 વર્ષનો ઈન્ટીગ્રેટેડ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન બીએડમાં મોટા બદલાવ કરી રહી છે. બીએડના અભ્યાસક્રમમાં બદલાવના કારણે ટીચર બનવાનું સપનું સેવતા લોકો માટે ફાયદો થશે. આ બદલાવ 40 વર્ષ પછી થતા મોટા બદલાવમાંથી એક રહેશે.
આ વિશે વાત કરતા નેશનલ કાઉન્સિસ ઓફ ટીચર એજ્યુકેશનના ચેરપર્સન સતબીર બેદીએ નિવેદન આપતા કહ્યું હતું કે, નવી પેઢીમાં વિદ્યાર્થીઓમાં તણાવ અને માનસિક સમસ્યા થઈ જાય છે. માનસિક સમસ્યાઓ કાઉન્સલિંગ કરીને તેનું નિવારણ લાવી શકાય તેવા પ્રશિક્ષિત લોકોની માગમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 40 વર્ષથી એક પ્રકારનો અભ્યાસક્રમ ભણાવવામાં આવતો હતો અને બદલતી શિક્ષણની સિસ્ટમને જોતા 40 વર્ષે બદલાવ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમરનાથ યાત્રા ભારે વરસાદની સંભાવના વચ્ચે 4 ઓગસ્ટ સુધી સ્થગિત
સ્કૂલ અને કોલેજ બન્ને સ્તર પર બીએડના કોર્સ ચાલી રહ્યાં છે. આ કોર્સમાં શિક્ષકોમાં કાઉન્સલિંગ સ્કિલ વધારવા માટે કોઈ પણ સિસ્ટમ અત્યાર સુધી હતી નહી હવે જે કોર્સ નવો તૈયાર થઈ રહ્યો છે તેમા ખાસ વિદ્યાર્થીઓના કાઉન્સલીંગ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બીએડના કાઉન્સલિંગ કોર્સની શરૂઆત દેશની 18 હજાર જેટલી સંસ્થાઓમાં શરૂ કરવામાં આવશે.