Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `સરફરોશ`ની 25મી એનિવર્સરી સ્ક્રીનિંગમાં આમિર ખાને કરી `સરફરોશ 2`ની જાહેરાત

`સરફરોશ`ની 25મી એનિવર્સરી સ્ક્રીનિંગમાં આમિર ખાને કરી `સરફરોશ 2`ની જાહેરાત

10 May, 2024 09:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમિર ખાન સ્ટારર `સરફરોશ`નો ભાગ 2 ટૂંક સમયમાં બનવા જઈ રહ્યો છે, અભિનેતાએ સ્ક્રીનિંગના ખાસ અવસર પર કર્યો ખુલાસો

તસવીર: પીઆર

તસવીર: પીઆર


આમિર ખાન અને `સરફરોશ`ની ટીમે ફિલ્મની રિલીઝના 25 વર્ષની ઉજવણી કરી હતી. તે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે એક મોટી પાર્ટી હતી. રેડિયો નશા દ્વારા આયોજિત `સરફરોશ` (Sarfarosh 2)ના સ્ક્રીનિંગમાં ટીમના સભ્યો અને મનોરંજન જગતની હસ્તીઓએ હાજરી આપી હતી. તે સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. આ ઇવેન્ટ દરમિયાન આમિર ખાને `સરફરોશ 2` વિશે એક ખાસ જાહેરાત કરી હતી, જેના કારણે તે વધુ યાદગાર બની ગઈ હતી.

`સરફરોશ`નું સ્પેશિયલ સ્ક્રીનિંગ (Sarfarosh 2) પીવીઆર જુહુ, મુંબઈ ખાતે થયું હતું. આ ઇવેન્ટથી ચાહકો અને ટીમના સભ્યો જૂની યાદોમાં ડૂબી ગયા હતા. આમિર ખાને મીડિયા સાથે પણ વાતચીત કરી, જ્યાં તેણે `સરફરોશ 2` વિશે મોટી જાહેરાત કરી છે.



‘સરફરોશ 2’ (Sarfarosh 2) વિશે વાત કરતા આમિર ખાને કહ્યું કે, “હું એક વસ્તુ માટે પ્રતિબદ્ધ છું, કે અમે યોગ્ય સ્ક્રિપ્ટ અને યોગ્ય પ્રકારની ફિલ્મ સાથે આવવા માટે હવે તેને ચોક્કસપણે ગંભીરતાથી લઈશું. તેથી જ્હોન તમે અહીં છો, કામ કરવું પડશે.” વધુમાં, તેમણે કહ્યું કે, “સરફરોશ 2 બનાવવી જોઈએ મને પણ એવું લાગે છે.”


કોઈ શંકા વિના, આ સ્ક્રીનિંગ એકદમ ખાસ હતી. આટલા લાંબા સમય પછી દર્શકોને આમિર ખાનની `સરફરોશ` જોવા મળી, જે તેના સૌથી મોટા અભિનયમાંથી એક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, `સરફરોશ 2`ની જાહેરાતે ખરેખર તેને વધુ ખાસ બનાવી દીધી છે.

ઝોયા અખ્તરની ફિલ્મમાં કામ કરશે આમિર ખાન?


આમિર ખાન અને ઝોયા અખ્તર સાથે કામ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. ૨૦૧૫માં આવેલી ઝોયાની ‘દિલ ધડકને દો’માં આમિરે ડૉગ પ્લુટોનો અવાજ આપ્યો હતો. એ રીતે જોવા જઈએ તો તેમણે એ ફિલ્મમાં કામ કર્યું હતું અને નવ વર્ષ બાદ તેઓ ફરી સાથે કામ કરી રહ્યાં છે. જોકે આ પહેલી એવી ફિલ્મ છે જેમાં તેઓ ઍક્ટર અને ફિલ્મમેકર તરીકે કામ કરશે. આ ફિલ્મમાં આમિર મિડલ-એજ વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. તેઓ હાલમાં જ આ ફિલ્મને લઈને મળ્યાં હતાં. ઝોયાએ તેની ફિલ્મની સ્ટોરી આમિરને કહી હતી. આમિરને એ પસંદ આવી છે અને એથી તેણે તેને સ્ક્રીનપ્લે તૈયાર કરવા કહ્યું છે. એ તૈયાર થયા બાદ આમિરે તેને નરેશન માટે બોલાવી છે. જો આમિરને આ ફિલ્મ પસંદ પડી તો તે આ ફિલ્મમાં કામ કરવાની સાથે એને પ્રોડ્યુસ પણ કરશે. આ ફિલ્મને આમિર તેમ જ ઝોયા અને રીમા કાગતી સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ઝોયાની દરેક ફિલ્મને તેના ભાઈ ફરહાન અખ્તર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે અને એથી તે આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે કે નહીં એ સમય કહેશે. આમિર હાલમાં ‘સિતારે ઝમીન પર’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે જેનિલિયા દેશમુખ પણ જોવા મળશે. ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 09:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK