Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શહેરમાં કલમ 144 લાગુ ન હોય તો કોઈ પણ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાય

શહેરમાં કલમ 144 લાગુ ન હોય તો કોઈ પણ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાય

05 February, 2020 07:44 AM IST | Ahmedabad

શહેરમાં કલમ 144 લાગુ ન હોય તો કોઈ પણ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાય

ગુજરાત હાઈ કોર્ટ

ગુજરાત હાઈ કોર્ટ


અમદાવાદ શહેરમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતી સીઆરપીસીની કલમ ૧૪૪ સામે આઇઆઇએમ-એના ફેકલ્ટી મેમ્બર અને અન્ય ચાર લોકોએ હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી કરતાં હાઈ કોર્ટે રાજ્ય સરકારને પાંચ ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે. સીઆરપીસીની કલમ ૧૪૪ મામલે અમદાવાદ શહેર પોલીસ-કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે શહેરમાં કોઈ બનાવ ન બને એની ગંભીરતાને ધ્યાનમાં રાખી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવે છે. શહેરમાં કોઈ ને કોઈ સભા કે આયોજન હોય છે જેથી એની મંજૂરી લેવી પડે છે, જો કલમ ન લાગુ હોય તો કોઈ પણ મંજૂરી વગર સભા કે સરઘસ કાઢી શકે છે.

આ પણ વાંચો : નોટિસ આપી છતાં કોઈ કાર્યવાહી નહીં: ફાયર-સેફ્ટીના અભાવે 180 દુકાનોને સીલ કરાઈ



આઇઆઇએમ-એના ફેકલ્ટી મેમ્બર અને અન્ય ચાર લોકોએ પોલીસ-કમિશનરના કલમ-૧૪૪ હેઠળના જાહેરનામાને પડકારતી પિટિશન ગુજરાત હાઈ કોર્ટમાં કરી હતી જેની ગઈ કાલે થયેલી સુનાવણીમાં હાઈ કોર્ટે કહ્યું હતું કે ૨૦૧૬થી એક પણ દિવસ એવો નથી જેમાં કલમ-૧૪૪નું જાહેરનામું અમલી ન હોય. ૧૪૪ની કલમનો દુરુપયોગ થાય એ વાજબી નથી. કોઈ ચોક્કસ વિસ્તાર કે જગ્યામાં કલમ ૧૪૪ લાગુ કરી શકાય, પરંતુ આ મામલે આજે પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિસ્તૃત ઍફિડેવિટ રજિસ્ટરમાં ફાઇલ કરાવવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2020 07:44 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK