અમદાવાદઃ અમિત શાહને હત્યાના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી સામે કેસ
રાહુલ ગાંધી સામે અમદાવાદમાં થયો કેસ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી કહેવા પર ભાજપના એક કાઉન્સિલરે રાહુલ ગાંધી સામે તેમને બદનામ કરવાનો કેસ દાખલ કરાવ્યો છે. 30 એપ્રિલે આ મામલાની સુનાવણી છે.
અમદાવાદના ખાડિયા વોર્ડના કાઉન્સિલક ઈંદ્રવદન બ્રહ્મભટ્ટે પ્રકાશ પટેલના માધ્યમાં મેટ્રો કોર્ટમાં અરજી કરી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના અધ્યક્ષને બદનામ કરવાનો મામલો રજિસ્ટર કરાવ્યો છે.
આ પણ વાંચોઃ દુષ્કર્મ મામલે નારાયણ સાંઈ દોષી જાહેર, 30 એપ્રિલ સજાનું એલાન
ADVERTISEMENT
ઈંદ્રવદને પોતાની અરજીમાં કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના જબલપુરમાં એક રેલીમાં સંબોધન કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને હત્યાના આરોપી ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે રાહુલે આવું નિવેદન આપીને શાહને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે જ્યારે અથડામણના મામલામાં મુંબઈની CBI કોર્ટે 2 જાન્યુઆરી 2015મા રોજ અમિત શાહને આરોપ મુક્ત કર્યા હતા.