Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોના સંકટ: પૅસેન્જર્સે ફ્લાઇટના બે કલાક પહેલાં ઍરપોર્ટ પહોંચવું પડશે

કોરોના સંકટ: પૅસેન્જર્સે ફ્લાઇટના બે કલાક પહેલાં ઍરપોર્ટ પહોંચવું પડશે

22 May, 2020 04:50 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોના સંકટ: પૅસેન્જર્સે ફ્લાઇટના બે કલાક પહેલાં ઍરપોર્ટ પહોંચવું પડશે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સોમવારે ફરીથી શરૂ થઈ રહેલી ડોમેસ્ટિક ફ્લાઇટો માટે એક નવી માર્ગરેખા જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે મોબાઇલમાં આરોગ્ય સેતુ ઍપ્લિકેશન રાખવી જરૂરી નહીં હોય.

આ ઉપરાંત એમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને ઍરપોર્ટના ટર્મિનલમાં પ્રવેશ કરતાં પહેલાં ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ ઝોનમાંથી પસાર થવું પડશે. આ સાથે જ ઍરપોર્ટના અધિકારીઓએ ટર્મિનલ ભવનમાં પ્રવેશ પહેલાં મુસાફરોના લગેજને સૅનિટાઇઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.



કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે દેશમાં લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આ દરમિયાન સરકાર દેશની થંભી ગયેલી અર્થવ્યવસ્થાને ધીમે-ધીમે વેગ આપવા માગે છે. લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે રેલવે બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઇટની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ વિશેની જાણકારી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 04:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK