કોરોના સંકટ: પૅસેન્જર્સે ફ્લાઇટના બે કલાક પહેલાં ઍરપોર્ટ પહોંચવું પડશે
પ્રતિકાત્મક તસવીર
ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સોમવારે ફરીથી શરૂ થઈ રહેલી ડોમેસ્ટિક ફ્લાઇટો માટે એક નવી માર્ગરેખા જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે મોબાઇલમાં આરોગ્ય સેતુ ઍપ્લિકેશન રાખવી જરૂરી નહીં હોય.
આ ઉપરાંત એમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને ઍરપોર્ટના ટર્મિનલમાં પ્રવેશ કરતાં પહેલાં ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ ઝોનમાંથી પસાર થવું પડશે. આ સાથે જ ઍરપોર્ટના અધિકારીઓએ ટર્મિનલ ભવનમાં પ્રવેશ પહેલાં મુસાફરોના લગેજને સૅનિટાઇઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
ADVERTISEMENT
કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે દેશમાં લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આ દરમિયાન સરકાર દેશની થંભી ગયેલી અર્થવ્યવસ્થાને ધીમે-ધીમે વેગ આપવા માગે છે. લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે રેલવે બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઇટની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ વિશેની જાણકારી આપી છે.