Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૦ કરોડ લોકોને કોરોના વૅક્સિનના ૬૦ કરોડ ડોઝ અપાશે

૩૦ કરોડ લોકોને કોરોના વૅક્સિનના ૬૦ કરોડ ડોઝ અપાશે

18 October, 2020 10:17 AM IST | New Delhi
Agencies

૩૦ કરોડ લોકોને કોરોના વૅક્સિનના ૬૦ કરોડ ડોઝ અપાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાનો સામનો કરવા માટે ભારત સરકારે વ્યાપકપણે કોરોનાની રસી મૂકવાના અભિયાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પ્રાથમિકતાના આધારે સૌથી પહેલાં ૩૦ કરોડ લોકોને રસી મુકાશે, જેમાં કોનો સમાવેશ થશે એનું લિસ્ટ હાલમાં તૈયાર થઈ રહ્યું છે. આ ૩૦ કરોડ લોકોમાં જેમને વધારે ખતરો છે એવી વસ્તી, કોરોનાનો સામનો કરતા ફ્રન્ટ લાઇન વર્કર્સ જેવા કે હેલ્થ કૅર પ્રોફેશનલ્સ, પોલીસ, સફાઈ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ૩૦ કરોડ લોકોને વૅક્સિનના ૬૦ કરોડ ડોઝ અપાશે.
એક વખત કોરોનાની વૅક્સિન એપ્રૂવ થઈ જાય એ પછી રસીકરણ શરૂ કરી દેવાશે. હેલ્થ કૅર પ્રોફેશનલ્સમાં ૭૦ લાખ, ફ્રન્ટ લાઇન વર્કર્સમાં બે કરોડ લોકો અને ૫૦ વર્ષથી વધારે વયના ૨૬ કરોડ લોકોનો સમાવેશ થાય છે. દેશની ૨૩ ટકા વસ્તીને પહેલા રાઉન્ડમાં કોરોનાની રસી મૂકવામાં આવશે. આ માટે કેન્દ્ર દ્વારા રાજ્યો પાસેથી પણ વિગતો મગાવાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 10:17 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK