૩૦ કરોડ લોકોને કોરોના વૅક્સિનના ૬૦ કરોડ ડોઝ અપાશે
પ્રતીકાત્મક તસવીર
કોરોનાનો સામનો કરવા માટે ભારત સરકારે વ્યાપકપણે કોરોનાની રસી મૂકવાના અભિયાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પ્રાથમિકતાના આધારે સૌથી પહેલાં ૩૦ કરોડ લોકોને રસી મુકાશે, જેમાં કોનો સમાવેશ થશે એનું લિસ્ટ હાલમાં તૈયાર થઈ રહ્યું છે. આ ૩૦ કરોડ લોકોમાં જેમને વધારે ખતરો છે એવી વસ્તી, કોરોનાનો સામનો કરતા ફ્રન્ટ લાઇન વર્કર્સ જેવા કે હેલ્થ કૅર પ્રોફેશનલ્સ, પોલીસ, સફાઈ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ૩૦ કરોડ લોકોને વૅક્સિનના ૬૦ કરોડ ડોઝ અપાશે.
એક વખત કોરોનાની વૅક્સિન એપ્રૂવ થઈ જાય એ પછી રસીકરણ શરૂ કરી દેવાશે. હેલ્થ કૅર પ્રોફેશનલ્સમાં ૭૦ લાખ, ફ્રન્ટ લાઇન વર્કર્સમાં બે કરોડ લોકો અને ૫૦ વર્ષથી વધારે વયના ૨૬ કરોડ લોકોનો સમાવેશ થાય છે. દેશની ૨૩ ટકા વસ્તીને પહેલા રાઉન્ડમાં કોરોનાની રસી મૂકવામાં આવશે. આ માટે કેન્દ્ર દ્વારા રાજ્યો પાસેથી પણ વિગતો મગાવાઈ છે.