પાકિસ્તાનમાં શિયાઓ પર તાલિબાનના હુમલામાં ૨૩નાં મોત
પાકિસ્તાન સહિત દુનિયાભરમાં મોહરમનો મહિનો મનાવવામાં આવી રહ્યો છે ત્યારે જ આ અટૅક કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સરઘસ દરમ્યાન આત્મઘાતી હુમલાખોરને લોકોએ અટકાવવાનો પ્રયાસ કરતાં તેણે વિસ્ફોટ કરી દીધો હતો. પાકિસ્તાનમાં ભૂતકાળમાં પણ શિયા મુસ્લિમોના ધાર્મિક કાર્યક્રમોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા છે.