Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે બેલી બટનની નિયમિત સફાઈ કરો છો?

તમે બેલી બટનની નિયમિત સફાઈ કરો છો?

Published : 22 December, 2025 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દૂંટીની સ્વચ્છતા નહીં જાળવો તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે દરરોજ અરીસા સામે ઊભા રહીને ચહેરો ચમકાવીએ છીએ, કલાકો સુધી વાળ ઓળીએ છીએ અને મોંઘા પરફ્યુમથી શરીરને મહેકાવીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જ શરીરના કેન્દ્રમાં આવેલા બેલી બટન એટલે કે દૂંટીને રેગ્યુલર સાફ કરવામાં ન આવે તો એ ગંદકી, બૅક્ટેરિયા અને ગંભીર સમસ્યાનું ઘર બની શકે છે? એક નાનકડી બેદરકારી ગંભીર સમસ્યાઓને નોતરી શકે છે.

ગંદકીનું પ્રવેશદ્વાર



બેલી બટનનો આકાર એવો હોય છે કે ત્યાં પરસેવો, ડેડ સ્કિન સેલ્સ, કપડાના રેસા, નહાવાના સાબુના અવશેષો અને ધૂળ સરળતાથી જમા થઈ જાય છે. આ ભાગ શરીરનો સૌથી ગરમ અને ભેજવાળો ભાગ છે, જે બૅક્ટેરિયા અને ફંગસના વિકાસને પ્રમોટ કરી શકે છે. એક રિસર્ચમાં પણ જણાવાયું હતું કે ડૂંટીમાં સરેરાશ ૬૭ પ્રકારના બૅક્ટેરિયા રહેતા હોય છે. જો અઠવાડિયા સુધી પણ ડૂંટીને સાફ કરવામાં ન આવે તો બૅક્ટેરિયલ અને યીસ્ટ ઇન્ફેક્શન થઈ શકે છે. એને કારણે દૂંટીમાં લાલાશ થવી, દુખાવો થવો અને ઇન્ફ્લમેશન એટલે કે સોજો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરસેવા અને ડેડ સ્કિન સેલ્સ દૂંટીમાં જમા થાય ત્યારે ત્યાં રહેતા બૅક્ટેરિયા દુર્ગંધ પેદા કરે છે. ઘણી વાર સ્નાન કર્યા પછી પણ જો એ ભાગ સાફ કરવામાં ન આવે તો કોઈ અજીબ દુર્ગંધ આવતી રહે છે. જો વર્ષો સુધી ધ્યાન આપવામાં ન આવે તો ગંદકી જામતી રહે અને જો આવું થાય તો એ કઠણ થાય છે અને પથ્થર જેવું સ્વરૂપ ધારણ કરે છે. મેડિકલની ભાષામાં એને ઓમ્ફાલોલિથ કહેવાય છે, જેને દૂર કરવા ડૉક્ટરની મદદ લેવી પડે છે. ચેપ વધી જવાથી દૂંટીમાંથી સફેદ કે પીળું પ્રવાહી કે લોહી નીકળી શકે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી સંકેત છે.


કેવી રીતે રાખશો સાવધાની?

દૂંટીની સફાઈ કરવી બહુ જ ઈઝી છે. સ્નાન કરતી વખતે આંગળી વડે અથવા નરમ કપડાંની મદદથી સાફ કરવી અને સ્નાન કર્યા બાદ એ ભાગને કોરો કરવો બહુ જરૂરી છે કારણ કે ભેજ બૅક્ટેરિયાને આમંત્રણ આપે છે. અઠવાડિયામાં એક વખત ઇઅર-બડનો ઉપયોગ કરીને એને સાફ કરી શકાય. જો ગંદકી ખૂબ જ જામી ગઈ હોય અને કઠણ થઈ ગઈ હોય તો રાત્રે સૂતી વખતે દૂંટીમાં નારિયેળ તેલ અથવા બેબી ઑઇલનાં બે ટીપાં નાખો. સવારે એ ગંદકી નરમ પડી જશે જે સ્નાન વખતે સરળતાથી નીકળી જશે. લાંબા ગાળાની સ્વચ્છતા જાળવવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અતિશય ટાઇટ કપડાં પહેરવાથી દૂંટીના ભાગમાં હવાની અવરજવર ઓછી થાય છે અને પરસેવો વધુ વળે છે. તેથી સુતરાઉ અને આરામદાયક કપડાં પહેરવાનો આગ્રહ રાખો. દૂંટીની અંદર બહુ વધુપડતું લોશન કે મૉઇશ્ચરાઇઝર ન લગાવો. એ ચીકાશ પેદા કરે છે, જેના કારણે બહારની ધૂળ અને કચરો ત્યાં જલદી ચોંટી જાય છે. જો તમે જિમમાં જતા હો અથવા ભારે કસરત કરતા હો તો પરસેવાને કારણે બૅક્ટેરિયા જમા થવાનું જોખમ વધે છે, તેથી દરરોજ સ્નાન બાદ સફાઈ ફરજિયાત છે. જો તમે દૂંટીમાં કડી પહેરતા હો કે પિયર્સિંગ કરાવ્યું હોય તો એને નિયમિતપણે ઍન્ટિસેપ્ટિક સૉલ્યુશનથી સાફ કરતા રહો જેથી ચેપ ન લાગે. જો અતિશય ખંજવાળ આવે, લાલાશ આવે, પરું નીકળે કે ગાંઠ જેવું ફીલ થાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK