ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કમર પર ફોલ્લા ઊપસી આવે છે

કમર પર ફોલ્લા ઊપસી આવે છે

16 January, 2023 05:51 PM IST | Mumbai
Dr. Batul Patel | askgmd@mid-day.co

શરીર અત્યારે હાઇપર સેન્સિટિવિટી મોડમાં ઘૂસી ગયું છે. તમે જે ભાગની વાત કરો છો એ ભાગ પર રૅશ હોવાનું કારણ ટાઇટ કપડાં પણ હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક) ઓ.પી.ડી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૯ વર્ષનો છું. મને આજથી ૩-૪ મહિના પહેલાં જ્યાં પૅન્ટ પહેરીએ એ બેલ્ટના ભાગમાં સાંજે ફોલ્લા થતા અને ૧૫-૨૦ મિનિટમાં એની મેળે બેસી જતા. ધીમે-ધીમે એ મને હવે આખા પગ પર થાય છે અને છાતી પર પણ થાય છે. લાલ ચાઠા જેવા એ દેખાય છે અને ચામડી થોડી ફૂલી ગઈ હોય એમ લાગે. આ પ્રશ્ન સાથે હું મારા ફોટો મોકલું છું. એ જગ્યાએ હવે મને ખંજવાળ પણ શરૂ થઈ ગઈ છે. હું સમજી નથી શકતો કે આ શેનું રીઍક્શન છે, કારણ કે આ ફોલ્લા ગમે ત્યારે મને ઊઠી આવે છે.

તમારા ફોટો જોઈને સમજાય છે કે આ જે તકલીફ છે એને અર્ટિકૅરિયા કહેવામાં આવે છે, જેને સમજીએ તો તમારી ઇમ્યુન સિસ્ટમ અત્યારે હાઇપર મોડમાં છે, જેથી આ પ્રમાણે રીઍક્શન આવી રહ્યું છે, જેને શાંત કરવી જરૂરી છે. શરીર અત્યારે હાઇપર સેન્સિટિવિટી મોડમાં ઘૂસી ગયું છે. તમે જે ભાગની વાત કરો છો એ ભાગ પર રૅશ હોવાનું કારણ ટાઇટ કપડાં પણ હોય છે. શું તમે અન્ડર ગાર્મેન્ટ્સ ખૂબ ટાઇટ પહેરો છો તો એ બદલાવીને જોઈ જુઓ. બને કે તમને રાહત મળે. આ તકલીફ એક વાર આવી તો સરળતાથી જતી રહે એવું નથી હોતું. ઘણી વખત મહિનાઓ અને વર્ષો સુધી એ રહે છે. 

આ પણ વાંચો : ઉંમર સાથે હાડકાંનો ઘસારો રોકી શકાય?


સૌથી પહેલાં તો તમારે એક ડાયરી બનાવવી જોઈએ જેમાં તમે નોંધ કરો કે તમને દિવસમાં ક્યારે આ ફોલ્લાઓ ઊઠે છે? શરીરના કયા ભાગમાં વધુ અને કયા ભાગમાં ઓછા ઊઠે છે. શું કરવાથી આ તકલીફ થાય છે. સવારે વધુ છે કે સાંજે. કઈ ખાવાથી એ વધી રહ્યું છે કે નહીં. આ બધા પ્રશ્નોના જવાબો લઈને તમે ડૉક્ટરને મળો. બને કે આ જવાબો પરથી જ સમજાઈ જાય કે કઈ વસ્તુની ઍલર્જી થઈ રહી છે. જો ન ખબર પડે તો ડૉક્ટર તમને ઍલર્જી ટેસ્ટ માટે મોકલી શકે છે, જેના થકી એ જાણવું ખૂબ જરૂરી છે કે તમને કઈ બાબતની ઍલર્જી થઈ રહી છે. બીજું એ કે ફક્ત એટલું જાણવું પણ કાફી નથી. એ પછી મેં કહ્યું એમ રોગપ્રતિકારક શક્તિને શાંત કરવી જરૂરી છે, જેના માટે તમને ડૉક્ટર દવા આપશે એ ૩ મહિના સુધી લેવી જરૂરી છે. એ થયા પછી ફરીથી બ્લડ-ટેસ્ટ થશે, જેના દ્વારા એ જોવું પડશે કે તમે જે દવા લો છો એની અસર કેટલી થઈ. ઘણી વખત આવા દરદીઓએ વરસ-દોઢ વરસ સુધી આ દવાઓ ચાલુ રાખવી પડે એવું બને.


16 January, 2023 05:51 PM IST | Mumbai | Dr. Batul Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK