ધર્મગુરુઓ પણ જરૂર પડે ત્યારે દબાયેલી જબાનમાં કહી દે છે કે આ બધું ઇસ્લામ વિરુદ્ધ છે અને અમારો એમાં જરાય હાથ નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આ વાત કહેતી વખતે એ પણ સ્વીકારવું જ રહ્યું કે કેટલાક સાચા-નેક-ટેકવાળા લોકો પણ હશે જ, પણ તેમની સંખ્યા કેટલી અને તેમનો પ્રભાવ કેટલો? એવાં કયાં-કયાં ધાર્મિક કારણો છે કે લોકો આવી રીતે વિચારતા થઈ જાય છે? માત્ર જિન્નાહસાહેબની ચડવણીથી જ પાકિસ્તાન થયું હતું એવું માની લેવું આત્મવંચના માત્ર છે, પણ એવું હતું કે નહીં એ દર્શાવનારાઓ પણ હોવા જોઈશે. ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવો અને ખોટી રીતે રજૂ કરાયેલો ઇતિહાસ સૌકોઈને ભણાવવો કે પછી મગજમાં એ ભરાવવો એ મારે મન રાષ્ટ્રદ્રોહથી જરા પણ ઓછું નથી અને આ કામ આ દેશમાં થયું છે. સરદારને કેવી રીતે વેતરી નાખવા અને નેહરુને કઈ રીતે મોટા કરવા એ કામ ઇતિહાસકારોએ કર્યું અને લગભગ ૬૦ વર્ષ સુધી એ મુજબ સૌકોઈને કહેવામાં પણ આવ્યું.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.