Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અશુભ તત્ત્વ તરફની ઉપેક્ષા ભક્તને બાધક નથી

અશુભ તત્ત્વ તરફની ઉપેક્ષા ભક્તને બાધક નથી

23 March, 2023 05:26 PM IST | Mumbai
Morari Bapu

પ્રેમ તમે કોઈના ગુણ જોઈને કરો તો જ્યારે તેનામાં દુર્ગુણ દેખાશે ત્યારે પ્રેમ નહીં કરી શકો. કોઈના મૂળ આપો, સારી વસ્તુ છે; પણ મૂળ નહીં દેખાય તો બૌદ્ધિકતાથી તર્ક કરશો કે આદર આપ્યો એ બરાબર નહોતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માનસ ધર્મ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આપણે વાત કરીએ છીએ વિભીષણે હનુમાનજીને દેખાડેલી ભક્તિની નવ યુક્તિઓની. એમાં આપણે અભય, અલખ અને અશોક માનસિકતાની વાત કરી. હવે વાત કરીએ આગળની છ યુક્તિની, જેમાં ચોથા નંબરે આવે છે અશંક.

દેખી પ્રતાપ ન કપી મન શંકા... 



ભક્તિ કરવી હોય તેણે ભરોસો રાખવો, શંકા ન કરવી. શંકાશીલ ભક્તિ ન કરી શકે. ભરોસો રાખવો, અશંક સ્થિતિ. અશંક ચિત્ત. બીજા માર્ગોમાં તમે શંકા કરી શકો, સંદેહ કરી શકો, કોઈ ખૂબસૂરત નામ આપીને એને વ્યક્ત કરી શકો; પણ ભક્તિમાં શંકાવાળું મન ન ચાલે. મને મળશે કે નહીં? 


અજવાળું દેખાશે કે નહીં દેખાય? શંકા ન ચાલે. અશંક મન. જો શંકારહિત હશો તો મેળાપ થશે અને મેળાપ તેનો જ થાય જે અશંક મન હોય.

પાંચમી યુક્તિ જે છે અ-અશુભ.


અશુભ તત્ત્વ હશે કોઈ, પણ એનો પણ નિરાદર નહીં; કારણ કે ભક્તને માટે અશુભ કશું હોતું જ નથી. ભક્તને અશુભ કશું જ ન દેખાય. એ તો ચોઘડિયાં પણ ન જુએ કે અશુભ ચોઘડિયું ચાલે છે કે શુભ ચોઘડિયું. શુભ-અશુભથી પર રહે એ જ સાચો ભક્ત. 

અશુભ તત્ત્વ તરફની ઉપેક્ષા ભક્તને બાધક નથી. ભક્ત અશુભને પણ શુભમાં પરિવર્તિત કરી શકે છે. અશુભની આલોચના ન કરે તેને અશુભ દેખાય જ નહીં. બધું શુભ જ છે તેના માટે. તદૈવ લગનમ્... 

કોઈ વસ્તુને અશુભ ન સમજે એટલે વ્યવહારની દૃષ્ટિએ ક્ષીર–નીર ન્યાય. આ સારું, આ નરસું, એ બધું વ્યવહારજગતમાં હોય. બાકી તેને કંઈ અશુભ ન દેખાય. ભક્ત અશુભ ન જુએ એ પાંચમી યુક્તિ અને આ પાંચમી યુક્તિને પાર કરી ગયા તો બાકીની ચાર યુક્તિ પણ સુખરૂપ પાર થઈ જશે.

બાકીની ચાર યુક્તિમાં હવે આવે છે અમૂળ.

જોઈને આદર-ભક્તિ અમૂળ હોય. નારદજીએ ગુણ રહિતમ્ કહી છે. પ્રેમ તમે કોઈના ગુણ જોઈને કરો તો જ્યારે તેનામાં દુર્ગુણ દેખાશે ત્યારે પ્રેમ નહીં કરી શકો. કોઈના મૂળ આપો, સારી વસ્તુ છે; પણ મૂળ નહીં દેખાય તો બૌદ્ધિકતાથી તર્ક કરશો કે આદર આપ્યો એ બરાબર નહોતો. હવે મૂળ નથી એટલે ટીકા કરવાની. ભક્ત આ ન કરે. તે જેવા છો એવા સ્વીકારે. પ્રેમ કોઈ દિવસ ગુણ જોઈને ન થાય, ભક્તિમાં મૂળ ન જોવાય. ભક્તિસૂત્રે મનાઈ કરી છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 05:26 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK