Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > જ્યાં સુધી અભાવ છે ત્યાં સુધી જીવન અપૂર્ણ

જ્યાં સુધી અભાવ છે ત્યાં સુધી જીવન અપૂર્ણ

31 May, 2023 05:53 PM IST | Mumbai
Morari Bapu

માણસ રસિક હોવો જોઈએ, કારણ કે રસ જીવન માટે બહુ જરૂરી છે. રસ હોય તો જ માણસ ટકી શકે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર માનસ ધર્મ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આપણે વાત કરીએ છીએ જીવનની. જીવન કોને કહેવાય? આ સવાલના જવાબમાં પાંચ જવાબ મળે છે. આ પાંચમાંથી પહેલા નંબરે આવે છે, અભાવ ન હોય.

જીવન એને કહેવાય જેમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે. જ્યાં સુધી કોઈ ને કોઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ નથી. જ્યાં સુધી અપેક્ષાઓ છે ત્યાં સુધી અભાવ રહેવાનો જ. ભૌતિક પદાર્થોથી ઓડકાર ન આવે, કૃતકૃત્ય ન થવાય. જન્મ અને મૃત્યુની યાત્રા વચ્ચેના સમયમાં જ્યારે અભાવ ન રહે ત્યારે જીવન પૂર્ણ બને અને આ માટે મારે આ જગતમાં કશું જ નથી જોઈતું એવો સંકલ્પ જરૂરી છે.



બીજા નંબરે આવે છે, પરાધીનતા ન હોય એનું નામ જીવન. તુલસી લખે છે – પરાધીન સપને સુખ નાહિ. પરાધીનતા જીવનનો પરિચય નથી. જ્યાં પરાધીનતા ન હોય ત્યાં જીવન પૂર્ણ મળે. કોઈ સદ્ગુરુના આશ્રમમાં રહીએ એ તો એક વિશિષ્ટ પ્રકારની સ્વતંત્રતા છે. સદ્ગુરુનો આશ્રય એ પરાધીનતા નથી, પણ વિશિષ્ટ આશ્રય છે. માના ખોળામાં રમતું બાળક પરાધીન છે, પણ એ અભયતાનું સૂચક છે. જે જીવમાં પરાધીનતા છે એ જીવનો મૂળ સ્વભાવ સ્વતંત્ર રહેવાનો છે. તો પછી એને ધર્માન્તર શું કામ કરાવીએ છીએ આપણે?


અતિ પરવશ જીવ સ્વવશ ભગવંતા.

શેરડીના સાંઠામાં જે રસ હોય એ એની કાતરીમાં પણ હોય છે. મરચામાં જે તીખાશ છે એ એના નાનકડા ટુકડામાં પણ હોવાની જ. એ હિસાબે ઈશ્વરના અંશ હોવાને નાતે આપણો સ્વભાવ સ્વવશ હોવો જોઈએ, પણ ‘માયાવશ જીવ અભિમાની’ - માયાને લીધે પરવશ થયો. જ્યાં અભાવોનું સમાપન થાય અને પરાધીનતા ન રહે એ જ જીવનનો પરિચય!
નિરંતર ચૈતન્ય વહે. હા, જ્યાં નિરંતર અને અવિરત ચૈતન્ય વહે એ જીવન. જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એનું નામ જીવન. મૂર્છા એ જીવન નથી. ચૈતન્ય જાગૃત છે, જ્યાં નિરંતર સમજાગૃત છે. એ જ જીવન.


જીવન એટલે જ્યાં રસિકતા હિલોળા લે.

જેમાં નીરસતા ન હોય એનું નામ જીવન. માણસ રસિક હોવો જોઈએ, કારણ કે રસ જીવન માટે બહુ જરૂરી છે. રસ હોય તો જ માણસ ટકી શકે. એક વખત રસ ઊડી જાય પછી જીવન જીવવા જેવું રહેતું નથી. ભોગ રસમાં ઘટાડો થાય; પણ શાંત રસમાં સામર્થ્ય છે, શક્તિ છે. ભાવ રસ અખંડ હોય, પણ અનંત ન હોય એનો અંત આવે જ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 05:53 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK