કેમ વધી ગયું જેઠાલાલનું ટેન્શન, જ્યારે ગુલાબો બનીને આવી એની બીજી પત્ની
ગુલાબો
સબ ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોમાં ઘણો પોપ્યુલર છે અને શૉમાં જેઠાલાલ અને પાડોશી બબીતાજી વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવે છે. એક વાર શૉમાં દર્શાવવામાં આવ્યું હતું કે જેઠાલાલની બીજી પત્ની બનીને ગુલાબો નામની એક મહિલા ગોકુલધામ સોસાયટીમાં પહોંચી જાય છે.
ગુલાબો ગોકુલધામવાસીઓને જેઠાલાલ સાથેની પોતાના લગ્નની તસવીરો બતાવીને એવો દાવો કરે છે કે તે જેઠાલાલની પત્ની છે. આ બધું જોઈને જેઠાલાલની પત્ની દયાબેનના હોંશ ઉડી જાય છે અને એનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે. તેવી જ રીતે ગુલાબોને ગોકુલધામ સોસાયટીમાં જોઈને જેઠાલાલને પણ આંચકો લાગી જાય છે અને તેઓ ગુલાબોને પોતાની પત્ની માનવાથી સ્પષ્ટપણે નકારી દે છે.
ADVERTISEMENT
આ બધી વાતથી ગુલાબો સોસાયટી કમ્પાઉન્ડમાં જ રહેવા માટે ટેન્ટ (તંબુ) બાંધી દે છે અને કહે છે જ્યા સુધી જેઠાલાલ તેને પત્નીના રૂપમાં સ્વીકારશે નહીં ત્યાં સુધી તે સોસાયટી છોડીને નહીં જશે. આ બધું જોઈને ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે જેઠાલાલ પર ભડકી જાય છે અને કહે છે કે ગુલાબોને પોતાના ઘરે લઈ જાઓ, હું સોસાયટી કમ્પાઉન્ડમાં આવી રીતે તંબુ લગાવીને રહેવાની પરમિશન નથી આપતો. ભીડેની વાત સાંભળીને જેઠાલાલ પણ ગુસ્સેથી લાલચોળ થઈ જાય છે અને કહે છે કે હું કેમ મારા ઘરે લઈને જાઉં તને લઈ જવું હોય તો તું લઈ જા.
બન્ને વચ્ચે આ મામલા પર ઝઘડી પડે છે ત્યારે ગોકુલધામવાસીઓ આ કાર્યને શાંતિથી સંભાળે છે. તે સમય દરમિયાન ગુલાબો જેઠાલાલ એને પત્નીના રૂપમાં સ્વીકારતા નથી ત્યારે ગુલાબો આ કારણથી જેઠાલાલ વિરૂદ્ધ કોર્ટમાં કેસ કરી દે છે. બાદ તેની વકીલ જેઠાલાલને કહે છે કે ગુલાબોને સ્વીકાર કરી લો અથવા તો જેલમાં જવા તૈયાર થઈ જાઓ. આ સાંભળીને જેઠાલાલ ઘણા ડરી જાય છે. તેમજ દીકરો ટપુ અને બાપુજી સહિત આખી સોસાયટી ટેન્શનમાં આવી જાય છે.
આ પણ વાંચો : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો
જોકે જેઠાલાલ પોતાની અને ગુલાબોની લગ્નની તસવીર જોઈને જણાવે છે આ તસવીર એક ફિલ્મની શૂટિંગ દરમિયાન લીધી હતી. મુસીબતમાં ફસાયેલા જેઠાલાલ પોતાના પરમ મિત્ર તારક મહેતા એમને આ પ્રોબ્લેમમાંથી કાઢી દેશે એવું વચન આપે છે. બાદ બન્ને આ મુસીબતથી બહાર આવવાની તરકીબ શોધી લે છે. જેઠલાલ સાધુ બનવાનો પ્લાન બનાવી દે છે અને આ મુસીબતથી બહાર નીકળવાનો પ્લાન બનાવી દે છે. જેઠાલાલના માથેથી ગુલાબોનું ટેન્શન દૂર થઈ જાય છે અને જેઠાલાલના વકીલથી ગુલાબોના લગ્ન થઈ જાય છે. આવા કઠિણ સમયથી બહાર આવવા માટે બબીતાજી સહિત તમામ સોસાયટીવાળાઓનો આભાર માને છે.