સોનાક્ષી આર્ટ વર્કની હરાજી દ્વારા જમા થયેલી રકમ ડેઇલી અર્નર્સને આપશે
સોનાક્ષી સિન્હા
અંશુલા કપૂરના ફન્ડ રેઇઝિંગ પ્લૅટફૉર્મ ફૅનકાઇન્ડ સાથે મળીને પોતાના આર્ટ વર્કની હરાજી દ્વારા જમા કરેલી ધનરાશિનો ઉપયોગ સોનાક્ષી સિંહા મજૂરો માટે કરશે. તેમને રૅશન કિટ્સ આપવામાં આવશે. લૉકડાઉનને કારણે તેમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. એવામાં અનેક બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ તેમની મદદ માટે આગળ આવી છે. પોતાનાં આર્ટ વર્ક્સની ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી કે ‘હાઇ એવરીવન. મેં ફૅનકાઇન્ડ સાથે હાથ મિલાવીને પોતાના આર્ટ્સની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. એમાંથી જમા થયેલી રકમનો ઉપયોગ ડેઇલી વેજ વર્કર્સને રૅશન કિટ્સ આપવા માટે કરવામાં આવશે. જે પણ સ્કેચિસ અને કૅન્વસિસની હરાજી કરવામાં આવશે એ બધાં છેલ્લાં થોડાં વર્ષોમાં મેં બનાવ્યાં છે. દરેક પીસ મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. દરેક માટે આ ડિજિટલ પ્રિન્ટ્સ, યુનિક સ્કેચિસ અને લાર્જ કૅન્વસ પેઇન્ટિંગ્સમાં કંઈ ને કંઈ ખાસ છે. હરાજી લગાવવા માટે મારી લિન્ક પર ક્લિક કરો. ફૉર્મ ભરો અને બોલી લગાવો. 24 મેએ હરાજી પૂરી થશે. દરેક પીસની ઊંચી કિંમત અને તમારા સપોર્ટથી આપણે ખૂબ મોટું પરિવર્તન લાવી શકીશું. આ કપરા સમયમાં ચાલો આપણે બધા સાથે આવીએ.’