આમિરને કાજોલ સાથે કામ ન કરવાની સલાહ આપતાં શાહરુખ ખાને કહ્યું હતું કે...
શાહરુખ ખાને એક વખત આમિર ખાનને જણાવ્યું હતું કે કાજોલ ખરાબ ઍક્ટર છે અને તેની સાથે તું કામ નહીં કરી શકે. આ એ સમયની વાત છે, જ્યારે શાહરુખ અને કાજોલ ‘બાઝીગર’માં કામ કરી રહ્યાં હતાં. એ દરમ્યાન આમિરે ફોન કરીને શાહરુખને કાજોલ વિશે પૂછ્યું હતું. એ વખતે તેમની વચ્ચે શું ચર્ચા થઈ એ વિશે શાહરુખે કહ્યું હતું કે ‘હું જ્યારે તેની સાથે ‘બાઝીગર’માં કામ કરી રહ્યો હતો ત્યારે આમિર ખાને મને તેની સાથે કામ કરવાની ઇચ્છા જણાવી હતી. મેં તેને મેસેજ કરીને જણાવ્યું હતું કે ‘તે ખરાબ છે, તેનું કામમાં ધ્યાન નથી, તું તેની સાથે કામ નહીં કરી શકે.’ જોકે સાંજે મેં ફિલ્મની રશીઝ જોઈ હતી એથી મેં સ્પષ્ટીકરણ આપવા માટે આમિરને સતત ફોન કર્યો હતો. મેં તેને કહ્યું હતું કે સ્ક્રીન પર તે જાદુ રેલાવે છે.’
બીજી તરફ શરૂઆતમાં કાજોલને પણ શાહરુખ જરા પણ પસંદ નહોતો. એ વિશે કાજોલે કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે કે શાહરુખ અને અન્ય કલાકારો જ્યારે સેટ પર આવતા તો તેમને ભારે હેંગઓવર રહેતું હતું. એથી હું મરાઠીમાં તેના મેક-અપ મૅનને બડબડ કરતી હતી. ત્યારે તેઓ એમ કહેતા હતા કે ‘આ શાનો અવાજ છે. આ સાંભળીને અમારું માથું ભમવા લાગ્યું છે. તે ખૂબ જ તોછડો હતો. આમ છતાં હું તેને બડબડ કરતી હતી. છેવટે તે મને કહેતો કે પ્લીઝ તારું મોં બંધ રાખીશ, ચુપ હો જાઓ.’ મને લાગે છે કે આ રીતે અમે ફ્રેન્ડ્સ બની ગયાં હતાં.’