'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં મનોજ જોષીની થશે એન્ટ્રી
મનોજ જોષી
સ્ટાર પ્લસ પર આવતાં શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મનોજ જોષીની એન્ટ્રી થવા જઈ રહી છે. ઘણી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળેલાં મનોજ જોષી આ શોમાં વકીલની ભૂમિકા ભજવશે. શિવાંગી જોષી અને મોહસિન ખાન આ શોમાં લીડ રોલ ભજવી રહ્યાં છે અને તેઓ વકીલ શક્તિમાન ઝવેરીના પાત્રમાં જોવા મળશે. તેમની એન્ટ્રીથી ગોએન્કા ફૅમિલીમાં ટર્નિંગ પૉઇન્ટ આવશે. આ શોનું શૂટિંગ તેમણે ગઈ કાલથી શરૂ પણ કરી દીધુ છે. આ વિશે મનોજ જોષીએ કહ્યું હતું કે ‘મને ખુશી છે કે ઘણાં વર્ષો બાદ હું સ્ટાર પ્લસ સાથે કામ કરી રહ્યો છું અને એ પણ સૌથી મોટા શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં. મારી એન્ટ્રીથી શોમાં ઘણાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવશે. મેં સ્ટાર પ્લસ સાથે છેલ્લે ૨૦૦૩માં ‘કહેતા હૈ દિલ’માં કામ કર્યું હતું જે ખૂબ જ હિટ રહ્યો હતો. ફરી એક હિટ શો સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’