અમરીશ પુરી એક સારા ઍક્ટર હતા : જાવેદ અખ્તર
જાવેદ અખ્તર
400થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અમરીશ પુરીનું મૃત્યુ ૭૨ વર્ષની ઉંમરે ૨૦૦૫ની ૧૨ જાન્યુઆરીએ થયું હતું. તેમની ૧૪મી ડેથ-ઍનિવર્સરી આવી રહી હોવાથી તેમને યાદ કરતાં એક શોમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘અમરીશ પુરીને લોકો એક ગ્રેટ ઍક્ટર તરીકે હંમેશાં યાદ કરશે. જોકે મારા જેવા જે લોકો તેમને ખૂબ જ અંગત રીતે જાણતા હતા તેઓ તેમને એક અદ્ભુત ઍક્ટરની સાથે ઉમદા વ્યક્તિ તરીકે યાદ કરશે. અમરીશ પુરી આ બન્ને હતા.
આ પણ વાંચો : અપના ટાઈમ આયેગા- રણવીરની ફિલ્મ ગલ્લી બૉયનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
ADVERTISEMENT
ખૂબ જ પ્રતિષ્ઠિત ફિલ્મમેકર સ્ટીવન સ્પિલબર્ગે કહ્યું હતું કે તેમણે તેમની લાઇફમાં ઘણી ફિલ્મો જોઈ છે, પરંતુ આટલો અદ્ભુત વિલન આજ સુધી નહોતો જોયો.’