હું પાકિસ્તાનીઓના આતંકવાદ અને તેમની આર્મીના વિરોધમાં છું : અદનાન સામી
અદનાન સામી
અદનાન સામીએ જણાવ્યું છે કે તે આતંકવાદ અને પાકિસ્તાન આર્મીની વિરોધમાં છે. તેનું કહેવું છે કે પાકિસ્તાન આર્મી યુદ્ધ માટે ઉશ્કેરણી કરે છે. અદનાન સામીને ૨૦૧૬માં ભારતનું નાગરીકત્વ મળ્યું છે. તેનો જન્મ બ્રિટનમાં થયો હતો. એ પહેલાં તે કેનેડાનો નાગરીક હતો. તેનાં પૂર્વજો પાકિસ્તાનનાં છે.
આ પણ વાંચો : એકતા અને કંગના વચ્ચે મતભેદ
ADVERTISEMENT
પાકિસ્તાન વિશે ટ્વિટર પર અદનાને ટ્વીટ કર્યું હતું કે ‘હું તમને જણાવી દઉં કે હું પાકિસ્તાનનાં લોકોની વિરોધમાં નથી. મને પ્રેમ કરનારાઓ સૌને હું પ્રેમ અને સન્માન આપું છું. એથી જ હું પાકિસ્તાનનાં લોકોને પણ પ્રેમ કરું છું. હું આતંકવાદ અને પાકિસ્તાન આર્મીની વિરોધમાં છું. તેઓ પાડોશી દેશને યુદ્ધ માટે ઉશ્કેરે છે. તેમ જ તેઓ પાકિસ્તાનનાં લોકોનાં લોકશાહીનું હનન કરે છે.’