મલ્હાર ઠાકર હવે ખવડાવશે 'વેનીલા આઇસક્રીમ'
મલ્હાર ઠાકરની ગોળકેરી ફિલ્મ આવતીકાલે રિલીઝ થઇ રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના આ સુપર સ્ટારે તેની નવી ફિલ્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી દીધી છે.
મલ્હારે કરેલી પોસ્ટમાં તેણે લખ્યું છે કે કે એક એવી વાત જે જેટલી તમારી છે એટલી જ અમારી પણ છે, એક એવો વિચાર જેમાં તડકોય છે અને છાંયડોય છે. એક સ્વાદ જે બધા માટે એક સરખો જ છે. થોડો વિશ્વાસ અને બસ એક કપ "વેનીલા આઇસક્રીમ" . મલ્હારે પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું લેખન અને દિગ્દર્શન પ્રિત સિંહ દ્વારા કરાશે અને મલ્હારની સાથે ફિલ્મમાં દીક્ષા જોશી જોવા મળશે. સિલ્વર લાઇન ફિલ્મસનાં અમોલ મુરલીધર ઘુળે અને સંતોષ વિઠ્ઠલ બાનખેલે બ્લેક હોર્સ પ્રોડક્શનની સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું શૂટિંગ ચોમાસામાં શરૂ થશે.
ADVERTISEMENT
આ પણ જુઓઃ મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો
આ જાહેરાતથી મલ્હારે ગોળકેરી પછી દર્શકોને વેનીલા આઇસક્રિમ ખવડાવવાની જાહેરાત કરી છે. તેની પોસ્ટ પરથી લાગે છે કે આ એક સ્લાઇસ ઑફ લાઇફ પ્રકારની ફિલ્મ હશે જેમાં જિંદગીની તડકી છાંયડીને હળવાશથી રજૂ કરવાનો પ્રયાસ કરાયો હશે.
જૂઓ ઇન્સ્ટા પોસ્ટ જેમાં મલ્હારે વાત કરી છે તેના નવા પ્રોજેક્ટની.
મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મોમાં હીરોની વ્યાખ્યા બદલવામાં મોટો ફાળો આપ્યો છે અને તેને માટે કહેવાય છે કે તે જે ફિલ્મમાં હોય તે સફળ જ રહે છે. મલ્હારનો મિડાસ ટચ ઘણી ફિલ્મોમાં આપણે જોયો છે. છેલ્લો દિવસથી માંડીને લવની ભવાઇ હોય કે પછી સાહેબ, તેણે પોતાની એક્ટિંગની રેન્જ અનેકવાર સાબિત કરી છે. નવો પ્રોજેક્ટ માટે મલ્હાર ઠાકરને તેના ચાહકો તરફથી શુભકામનાઓ.