29 જાન્યુઆરીએ રિલીઝ થશે 'મેં મુલાયમ સિંહ યાદવ', OTT પર પણ જોવા મળશે
મેં મુલાયમ સિંહ યાદવ (તસવીર સૌજન્ય - મિડ-ડે)
યૂપીના કદ્દાવર નેતા, પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના જીવન પર આધારિત ફિલ્મ 'મેં મુલાયમ સિંહ યાદવ'ને 29 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી શકે છે. સાથે જ ફિલ્મને ઓટીટી પ્લેટફૉર્મ પર પણ લાવવાની તૈયારી ચાલી રહી છે.
ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સહિત 'મેં મુલાયમ સિંહ યાદવ'ની આખી ટીમ શુક્રવારે લખનઉ પહોંચી હતી અને ફિલ્મ નિર્માતા મીના સેઠીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે ફિલ્મને આ વર્ષ જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે યૂપીમા વર્ષ 2022માં વિધાનસભ ચૂંટણી થવાની છે અને એવામાં ફિલ્મને રિલીઝ કરવાનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ફિલ્મ નિર્માતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ફિલ્મ 'મેં મુલાયમ સિંહ યાદવ' ને તાજેતરમાં કોલકાતામાં યોજાયેલા લિફ્ટ ઇન્ડિયા એવોર્ડમાં ઘણા એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મને બેસ્ટ બાયોપિક સહિત કુલ આઠ એવોર્ડ મળ્યા છે. ટૂંક સમયમાં આ ફિલ્મ મુલાયમસિંહ યાદવના લખનઉ સ્થિત નિવાસસ્થાન પર દર્શાવવામાં આવશે. જેથી ફિલ્મને મુલાયમ સિંહગ યાદવ પણ જોઈ શકે. સાથે જ સપાના કાર્યકર્તાઓના માટે પણ ફિલ્મના વિશેષ શૉનું પણ આયોજન કરવામાં આવશે.
ફિલ્મમાં મુલાયમ સિંહ યાદવની ભૂમિકા નિભાવનારા અભિનેતા અમિત સેઠીએ કહ્યું હતું કે મુલાયમ સિંહનું પાત્ર એકદમ પડકારજનક પાત્ર હતું. કારણ કે પોતાની છબી, બોલવાની, હાવભાવની શૈલીમાં પોતાને ફીટ કરવાનું મુશ્કેલ કામ હતું. આ ભૂમિકા માટે મારે ઘણી પુસ્તકો વાંચવી પડી હતી અને ઘણા વીડિયો પણ જોવા પડ્યા.
સાથે જ તેમણે જાણકારી આપી હતી કે ફિલ્મમાં મુલાયમ સિંહ સિવાય તેમના ભાઈ શિવપાલ યાદવનું પાત્ર પણ ફિલ્મમાં જોરદાર રીતે બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં શિવપાલ યાદવનો રોલ મિથુન ચક્રવર્તીનો દીકરી મિમોહ ચક્રવર્તીએ ભજવ્યો છે.
તેમ જ સમાજવાદના ડૉ રામ મનોહર લોહિયાનું પાત્ર પ્રકાશ બલબેટો અને ખેડૂત નેતા અને ભૂતપૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહનો રોલ ગોવિંદ નામદેવે ભજવ્યો છે. આ ફિલ્મને એમએસ ફિલ્મ્સ એન્ડ પ્રોડક્શને બનાવી છે અને આ ફિલ્મનું નિર્દેશન સુવેન્દુ ઘોષે કર્યું છે.