Exclusive :કપિલની સાથે સાથે આ ટીવી અભિનેત્રીની પણ થઈ રહી છે બિદાઈ
પારુલે બિદાઈ શૉ દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી છે. ચિરાગ સાથે પારુલ ઘણાં સમયથી રિલેશનશિપમાં હતી.
કૉમેડિયન કપિલ શર્મા આજે પોતાની કૉલેજ ફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તેના લગ્નમાં શામેલ થવા તેના નજીકના મિત્રોમાંના સુમોના ચક્રવર્તી, કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ, સુદેશ લહેરી પણ પહોંચ્યાં છે. એવામાં આજના દિવસે જ શુભ ચોઘડિયામાં બિદાઈની પારુલ ચૌહાણ પણ લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ છે.
ADVERTISEMENT
વરમાળા વખતે ખુશીથી મલકાતાં પારુલ અને ચિરાગ
સ્ટાર પ્લસના સુપરહિટ શૉ બિદાઈમાં રાગિનીનું પાત્ર ભજવતી પારુલ ચૌહાણે પણ આજે લગ્ન કરી લીધાં. મુંબઈના ઈસ્કોન મંદિરમાં પારુલે ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યાં.
ઈસ્કોન મંદિરમાં સજોડે પ્રથમ આરતી
ચિરાગ અને પારુલ ઘણાં સમયથી એકબીજાને ઓળખતાં હતાં. હાલમાં પારુલ સ્ટાર પ્લસના શૉ 'યે રિશ્તા ક્યા કહલાતા હે'માં જોવા મળે છે. ઈસ્કોન ટેમ્પલમાં લગ્ન બાદ પારુલ અને ચિરાગે પોતાના અંગતજનો માટે આજે જ રાતે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરી રહ્યાં છે જેમાં ટેલિવુડ સેલિબ્રિટિઝ શામેલ થશે.
આરતી કરતાં પારુલ અને ચિરાગ
જણાવીએ કે પારુલે બિદાઈ શૉને કારણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ચિરાગ સાથે પારુલ ઘણાં સમયથી રિલેશનશિપમાં હતી. પારુલે લગ્ન વિશે કહ્યું હતું મારા કુટુંબીજનો ઈચ્છે છે કે તેને જેમ બને તેમ જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. પારુલે ઈસ્કોન મંદિરમાં લગ્ન કરવા બાબતે કહ્યું કે, અહીં વાતાવરણ શાંત છે અને મારી સાસુ અને મારી ફેમિલી અહીં આવતાં હોય છે. અને કૃષ્ણને ખૂબ માને છે. તો અમે જ્યારે મંદિર વિશે વિચારતાં હતા ત્યારે કૃષ્ણ-લક્ષ્મીનારાયણ મંદિરનો વિચાર કરતાં હતાં ત્યાં અમને ઈસ્કોન મંદિર ધ્યાનમાં આવ્યું.
તેણે આ પણ કહ્યું કે તે ત્રણ વર્ષ પહેલાં ચિરાગને મળી હતી અને બન્ને વચ્ચે નિકટતા વધતી રહી. ઉલ્લેખનીય છે કે બિદાઈ સિરીયલથી પારુલ ટીવી સિરીયલમાં આવી અને તેનું લૉન્ચ રાજન શાહીએ કર્યું હતું. લગ્ન પ્રસંગે રાજન શાહી તેમને આશિર્વાદ આપવા હાજર હતા.