બધાને પ્રેમમાં મળવો જોઈએ બીજો મોકોઃ મલાઈકા અરોરા
બધાને પ્રેમમાં મળવો જોઈએ બીજો મોકોઃ મલાઈકા અરોરા
બધા લોકોને પ્રેમમાં બીજો મોકો મળવો જોઈએ. આવું કહ્યું છે મલાઈકા અરોરાએ. છૈયા છૈયા ગર્લે એમ પણ કહ્યું કે લોકોએ આ હકીકત સાથે ખુલ્લા દિમાગથી કામ લેવું જોઈએ. બોલીવુડની ડાન્સિંગ સ્ટારે તેના કરતા ઘણા નાના એવા અર્જુન કપૂર સાથેને તેના સંબંધો લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા હતા. જો કે હવે તેઓ મીડિયા સામે ખુલીને આવી રહ્યા છે.
મલાઈકાએ એમ પણ કહ્યું કે, ભારતમાં સ્ત્રીઓ માટે પ્રેમમાં બીજો ચાન્સ લેવો હજુ પણ ટૅબૂ છે. કારણ કે આપણા દેશમાં અનેક એવી સમસ્યાઓ છે જેની સાથે લડવાનું છે. મને લાગે છે કે આ સમસ્યાને ખુલ્લા મગજથી જોવાની જરૂર છે.
મલાઈકા કે જે હાલ 45 વર્ષથી છે. તેના અરબાઝ ખાન સાથે લગ્ન થયા હતા. તેમને 16 વર્ષનો દીકરો અરહાન છે. લાંબા લગ્નજીવન બાદ બંનેના છૂટાછેડા થયા હતા.
આ પણ જુઓઃ Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા
ADVERTISEMENT
પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતા મલાઈકા કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં હોવાના કારણે તમે હંમેશા લોકોની આંખોમાં રહો છો. જેટલું જલ્દી તમે તેને સમજી લો એટલું જ તમારા માટે સારું છે. અને હવે તો અમે તેની સાથે કમ્ફર્ટેબલ થઈ ગયા છે. મલાઈકાએ કહ્યું કે હવે આવી વસ્તુઓ તેને અસર નથી કરતી.