ડેન્ગીમાં સપડાવા છતાં ગોળકેરીનું શૂટિંગ સમયસર પૂરું કર્યું વિરલ શાહે
‘ગોળકેરી’ના ડિરેક્ટર વિરલ શાહને ફિલ્મના શૂટિંગ દરમ્યાન ડેન્ગી થયો હોવા છતાં પણ તેમણે ફિલ્મને વધુ મહત્ત્વ આપ્યું હતું. આ ફિલ્મ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, વંદના પાઠક અને સચિન ખેડેકર જોવા મળશે. ફિલ્મના શૂટિંગના શરૂઆતના દિવસોમાં વિરલને ડેન્ગી થતાં ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં ઍડમિટ થવાની સલાહ આપી હતી. જોકે કામ પ્રતિ લગાવ અને કમિટમેન્ટ્સને કારણે તેણે સેટ પર જ હૉસ્પિટલ જેવું વાતાવરણ ઊભું કર્યું હતું. તે દિવસ દરમ્યાન શૂટિંગમાં બિઝી રહેતો અને રાતે ટ્રીટમેન્ટ પર ધ્યાન આપતો હતો.
તેના કામ પ્રતિના સમર્પણને જોતાં ફિલ્મની ટીમે પણ તેને ભરપૂર સાથ-સહકાર આપ્યો હતો. સાથે જ એ વાતની પણ ખાતરી લીધી હતી કે તેની તબિયત પર માઠી અસર ન પડે.