અનુષ્કા શર્મા છોડી દેશે બૉલીવુડ, જાણો શું છે હકીકત
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માએ રબ ને બના દી જોડીથી લઈને ઝીરો સુધી પ્રત્યેક સમયે પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે. તે ફિલ્મના કારોબારમાં ઠીક રહી અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સાથે લગ્ન કરી સુખમય અને આનંદીત જીવન પસાર કરી રહી છે. તો હવે શું એ ફિલ્મોથી દૂર થઈ જશે અને એક્ટિંગ નહીં કરે.
આ વખતે આવા પ્રકારના સમાચાર તેજ છે. અનુષ્કા ફિલ્મને અલવિદા કહશે એવુ લઈને કેટલાક પ્રકારના તર્ક આપવામાં આવી રહ્યા છે. આમ તો અનુષ્કાએ વિરાટ કોહલીથી લગ્ન બાદ ફિલ્મ ઓછી કરી દીધી છે. તે હવે કોઈપણ ફિલ્મની પાર્ટી અથવા ઈવેન્ટમાં નજર નથી આતી અને હાલ એની પાસે કોઈ ફિલ્મ નથી. અનુષ્કાના પ્રોડક્શનથી છેલ્લા દિવસમાં ફિલ્મ બનાવવાની ખબર આવી હતી પરંતુ અત્યાર સુધી શૂટિંગ શરૂ થઈ નથી. હાં, રેપ કાંડના આરોપમાં જેલમાં સજા ભોગવીને જામીન પર ચાલી રહેલા પત્રકાર તેજપાલની પુસ્તક The Story Of My Assassins પર હવે વેબ સીરીઝ બનવાની છે અને આ જિમ્મેદારી અનુષ્કા શર્માને મળી છે.
ADVERTISEMENT
અનુષ્કાએ છેલ્લે ચાર ફિલ્મો(પરી, સંજૂ, સુઈ ધાગા અને ઝીરો) રિલીઝ થઈ હતી, પરંતુ આ બધી ફિલ્મો લગ્ન પહેલા સાઈન કરેલી ફિલ્મ હતી. જાણકારી મુજબ અનુષ્કાને ફિલ્મને લઈને સતત ઑફર આવી છે. તે વધારે સમય વિરાટ સાથે રહે છે અથવા પરિવારના કામો પર ધ્યાન આપે છે.
આ પણ વાંચો : સલમાન ખાનના જીવનમાં આવી કેટરિના કૈફ, જુઓ 'ભારત'નું નવું પોસ્ટર
છેલ્લા દિવસોમાં એની ફિલ્મ ન કરવા પાછળ આ કારણ આપ્યું છે કે તે ગર્ભવતી છે એટલે આવું કરી રહી છે પરંતુ અનુષ્કાએ આ વાતને ઘણી વાર નકારી દીધી છે અને કહ્યું કે હું અને વિરાટ એવી કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યાં. હવે જોવાનું રહેશે કે આ પ્રકારના સમાચાર પર અનુષ્કા શર્માવી પ્રતિક્રિયા શું છે?