Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં હાજર ન રહી શકતા અમિતાભે માંગી માફી

કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં હાજર ન રહી શકતા અમિતાભે માંગી માફી

10 November, 2019 08:47 AM IST | Mumbai

કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં હાજર ન રહી શકતા અમિતાભે માંગી માફી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર ન રહી શકવાથી અમિતાભ બચ્ચને માફી માગી છે. તેઓ છેલ્લા છ વર્ષથી આ ફેસ્ટિવલમાં સામેલ થાય છે. જોકે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને કારણે આ વખતે તેઓ આ ફેસ્ટિવલમાં જઈ નહોતા શક્યા. ફેસ્ટિવલમાં હાજર ન રહેવાનો વસવસો ફેસબુક પર વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યું હતું કે ‘હું કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેવાનો હતો. જોકે તબિયત ઠીક ન હોવાથી મને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઇવેન્ટમાં સામેલ ન થવાનો પછતાવો થઈ રહ્યો છે. છેલ્લા છ વર્ષથી હું આ ફેસ્ટિવલમાં હાજર રહીને સ્પીચ આપુ છું. મારી સ્પીચની વેસ્ટ બંગાળની સરકાર પ્રશંસા કરે છે અને એને એક પુસ્તકમાં લખી રાખે છે. આ વખતે પણ મેં મારી સ્પીચ તૈયાર રાખી હતી. એને હવે હું વેસ્ટ બંગાળની સરકારને મોકલીશ. એનાં માટે ઘણી ખરી રિસર્ચ પણ કરી હતી.’

આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...



આ સંદર્ભે વેસ્ટ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘અમિતજી અહીં દર વર્ષે આવે છે. જોકે તેમની તબિયત સારી ન હોવાથી ડૉક્ટરોએ તેમને પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. તેમણે મને આ બાબત મેસેજ કરીને જણાવ્યું હતું કે તેઓ આ ઇવેન્ટમાં સામેલ થઈ શકશે નહીં. તેમનાં લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 08:47 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK