અજય દેવગન ખૂબ જ ઉદાર ઍક્ટર છે : સૈફ અલી ખાન
તસવીર : બિપિન કોકાટે
સૈફ અલી ખાનનું કહેવું છે કે અજય દેવગન ખૂબ જ ઉદાર છે. તેમણે ‘કચ્ચે ધાગે’ અને ‘ઓમકારા’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમણે હાલમાં ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે કાજોલ પણ નાના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન સાથે કામ કરવા વિશે પૂછતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘અમે ‘કચ્ચે ધાગે’માં કામ કરતી વખતે ખૂબ જ મજા કરી હતી. અમે આ ફિલ્મના સેટ પર પહેલી વાર મળ્યાં ત્યારે મને અહેસાસ થયો કે હજી સુધી કંઈ જ નથી બદલાયું. મને એક જ અહેસાસ થયો કે અમે વધુ સિરિયસ અને મૅચ્યોર બની ગયા છીએ. તે ખૂબ જ ઉદાર ઍક્ટર હોવાથી મને તેની સાથે કામ કરવાની હંમેશાં મજા આવે છે. મારું કૅરેક્ટર કેવી રીતે રજૂ કરવામાં આવશે એની મને ક્યારેય ચિંતા નહોતી થઈ. તેની સાથે કામ કરીને મને મારા કરીઅરના બેસ્ટ પાત્રો મળ્યાં છે. મને લાગે છે કે મારા માટે એ ખૂબ જ મોટી વાત છે. તે એક કોન્ફિડન્ટ ફિલ્મમેકર અને ઍક્ટર છે. હું ખુશ છું અને ઇન્ડસ્ટ્રીમાં તેને એક મિત્ર તરીકે માનું છું.’
આ પણ જુઓઃ આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...
ADVERTISEMENT
કાજોલ સાથે કામ કરીને સેટ પર જ ઘર હોય એવું લાગ્યું હતું : અજય દેવગન
અજય દેવગનનું કહેવું છે કે કાજોલ સાથે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ના સેટ પર કામ કરીને ઘર જેવો અહેસાસ થતો હતો. અજય દેવગનની આ સોમી ફિલ્મ છે અને એ ફિલ્મમાં તેની સાથે તેની પત્ની કાજોલ પણ કામ કરી રહી છે. આ વિશે પૂછતાં અજય દેવગને કહ્યું હતું કે ‘મને નથી સમજ પડતી કે એ કેવી ફિલીંગ હતી કારણ કે મને એવું જ લાગતું હતું કે અમે ફિલ્મના સેટ પર નહીં, પરંતુ ઘરે હતાં. અમે ઘરમાં એકબીજા સાથે જેવી રીતે રહીએ એવી જ રીતે અમે સેટ પર દરેક વ્યક્તિની સામે રહેતાં હતાં. આથી મને કોઈ તફાવત નહોતો લાગ્યો.’