Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેન્સરના ઈલાજ બાદ સ્વદેશ પરત ફર્યા ઈરફાન ખાન

કેન્સરના ઈલાજ બાદ સ્વદેશ પરત ફર્યા ઈરફાન ખાન

14 February, 2019 05:32 PM IST | મુંબઈ

કેન્સરના ઈલાજ બાદ સ્વદેશ પરત ફર્યા ઈરફાન ખાન

સ્વદેશ પાછા ફર્યા ઈરફાન ખાન

સ્વદેશ પાછા ફર્યા ઈરફાન ખાન


બોલીવુડ અભિનેતા ઈરફાન ખાન લંડનમાં ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરનો ઈલાજ કરાવ્યા બાદ ફરીથી ભારત પાછા ફર્યા છે. પોતાના ઉમદા અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર ઈરફાન ખાનના સ્વદેશ આગમનથી અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોનો દાવો છે કે 22 ફેબ્રુઆરીથી તેઓ હિંદી મીડિયમની સીક્વલનું શૂટિંગ શરૂ કરશે જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તેમનો અહીં એક હૉસ્પિટલમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે. જો કે અભિનેતાના નજીકના એક સૂત્રએ અભિનેતા સ્વદેશ પરત આવી ગયા હોવાની પુષ્ટિ કરી પરંતુ ફિલ્મમાં કામ કરવા સહિતના અન્ય દાવાઓને ફગાવ્યા છે.

ગયા વર્ષે માર્ચ મહિનામાં ઈરફાન ખાને તેમને ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર હોવાનો ખુલાસો કર્યો હતો. જે બાદ તેઓ લંડનમાં સારવાર કરાવી રહ્યા હતા અને આટલો સમય લાઈમલાઈટથી દૂર હતી.

આ પણ વાંચોઃ હૉલીવુડની ફિલ્મમાં હવે હીરોની ભૂમિકા ભજવશે ઇરફાન ખાન



ઈરફાન ખાને પાન સિંહ તોમર, હાંસિલ, મકબૂલ, પિકુ જેવી ફિલ્મોમાં પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી જાણીતા છે. તેમની ગંભીર બીમારીની જાણ થતા તેમના ચાહકો પણ આઘાતમાં હતા. જો કે, તેઓ સ્વદેશ પાછા ફરતા ચાહકોમાં ખુશી છે અને જલ્દી જ તેઓ મોટા પડદે પાછા ફરે તેવું પણ ચાહકો ઈચ્છી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 05:32 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK