Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સુરેખા સિકરી સાથે કામ કર્યું હોવાથી પોતાને ખુશનસીબ માને છે સુરભિ જ્યોતિ

સુરેખા સિકરી સાથે કામ કર્યું હોવાથી પોતાને ખુશનસીબ માને છે સુરભિ જ્યોતિ

Published : 02 September, 2021 07:04 PM | IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

આ વિશે વાત કરતાં સુરભિએ કહ્યું હતું કે ‘સુરેખા મૅમ ઍક્ટિંગની સાથે એક વ્યક્તિ તરીકે પણ એકદમ અદ્ભુત હતાં. તેઓ એનર્જીથી ભરપૂર અને પોતાના કામની સાથે ખૂબ જ ઈમાનદાર હતાં

સુરભિ જ્યોતિ

સુરભિ જ્યોતિ


સુરભિ જ્યોતિ પોતાને ખુશનસીબ માને છે કે તેને સુરેખા સિકરી સાથે કામ કરવાની તક મળી. તેમની ‘ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈ?’ દસ સપ્ટેમ્બરે Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સુરભિ અને સુરેખા સિકરીએ સાથે કામ કર્યું છે. જોકે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ સુરેખાજીનો સ્વર્ગવાસ થયો હતો. આ વિશે વાત કરતાં સુરભિએ કહ્યું હતું કે ‘સુરેખા મૅમ ઍક્ટિંગની સાથે એક વ્યક્તિ તરીકે પણ એકદમ અદ્ભુત હતાં. તેઓ એનર્જીથી ભરપૂર અને પોતાના કામની સાથે ખૂબ જ ઈમાનદાર હતાં. તેઓ ખૂબ જ પૉઝિટિવ હતાં અને એનાથી અમને પ્રેરણા મળતી હતી. તેમનો સ્પિરિટ પણ કાબિલે દાદ હતો. તેઓ દરેક દૃશ્યમાં પોતાના સો ટકા આપતાં હતાં અને મને લાગે છે કે એથી જ તેઓ લેજન્ડરી બન્યાં છે. હું પોતાને નસીબદાર માનું છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી.’


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2021 07:04 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK