અસિત મોદીએ જણાવ્યું છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી શૈલેશ લોઢા વિદાય લેવાના છે એ વાત કોઈ સમાચાર નથી
અસિત મોદી
અસિત મોદીએ જણાવ્યું છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી શૈલેશ લોઢા વિદાય લેવાના છે એ વાત કોઈ સમાચાર નથી. તેમનું એમ પણ કહેવું છે કે તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેશ તરફથી તો આવી કોઈ બાબત જાણવા નથી મળી. સબ ટીવી પર આવતી આ સિરિયલ ૧૪ વર્ષથી ચાલી રહી છે. ત્યારથી જ જેઠાલાલના આ પરમ મિત્ર આ શો સાથે છે. થોડા સમય પહેલાં એવી અફવા ચાલી રહી હતી કે આ શોને કારણે શૈલેશ લોઢાને અનેક ઑફર્સ ઠુકરાવવી પડી રહી છે. એથી તેણે આ શોને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું હોય એવું જાણવા મળ્યું છે. જોકે આ બધી બાબતોથી અસિત મોદી અજાણ છે. એ વિશે અસિત મોદીએ કહ્યું કે ‘મારા તમામ ઍક્ટર્સ આ શોમાં ૧૦ વર્ષથી કામ કરી રહ્યા છે. મને એ વિશે કોઈ માહિતી નથી કે શૈલેશ લોઢાને આ શો છોડવો છે. જો એવું કંઈ હોય તો હું અચૂક જણાવત. જોકે હાલમાં તો આ શોને વધુ ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે બનાવી શકાય એના પર હું ધ્યાન આપી રહ્યો છું.’