ગયા વર્ષે લૉકડાઉન સમયે રામાયણ અને મહાભારત જેવી ઘણી 80 અને 90 દાયકાની સીરિયલો પ્રસારિત કરવામાં આવી હતી. તેમ જ `રામાયણ` સીરિયલે તો ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેમ જ હવે `રામાયણ`ના ફૅન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
`રામાયણ`
કોરોના વાઈરસ મહામારીએ એકવાર ફરીથી તેની અસર બતાવવાનું શરૂ કર્યું છે. લોકો સતત તેની ચપેટમાં આવી રહ્યા છે. તેનો અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહ્યો છે. એક બાદ એક તમામ સ્ટાર્સ કોરોના વાઈરસની ચપેટમાં આવી રહ્યા છે. તેમ જ દેશમાં એકવાર ફરીથી લૉકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એવામાં એક વાર ફરીથી ગયા વર્ષની જેમ જ રામાનંદ સાગરની `રામાયણ` સીરિયલ ફરીથી પ્રસારિત કરવામાં આવશે.
ગયા વર્ષે લૉકડાઉન સમયે રામાયણ અને મહાભારત જેવી ઘણી 80 અને 90 દાયકાની સીરિયલો પ્રસારિત કરવામાં આવી હતી. તેમ જ `રામાયણ` સીરિયલે તો ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેમ જ હવે `રામાયણ`ના ફૅન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફરીથી એકવાર `રામાયણ` સીરિયલનું પ્રસારણ શરૂ થવા જઈ રહ્યું છે. તો ચાલે જાણીએ કયા ચૅનલ પર કયા સમયે થશે એનું પ્રસારણ...
ADVERTISEMENT
રામાનંદ સાગરની `રામાયણ` સીરિયલ એકવાર ફરીથી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ સીરિયલ સ્ટાર ભારત ચૅનલ પર સાંજે 7 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. એકવાર ફરીથી દર્શક તેનો સંપૂર્ણ આનંદ લઈ શકશે. તેમ જ દર્શક તેમના ભગવાન શ્રી રામના ફરીથી એકવાર દર્શન કરી શકશે. વિવિધ રાજ્યોમાં લૉકડાઉન લાગ્યા બાદ તેની માંગ વધી રહી હતી. તેમ જ આ મહિને 21 એપ્રિલના રોજ રામ નવમીનો તહેવાર આવી રહ્યો છે. એવામાં આ સીરિયલની શરૂઆત થવી એ દર્શકોમાં માટે એક ખાસ ભેટ છે.
આ પણ જુઓ : અમિતાભ બચ્ચનની હિરોઈન રહી ચૂકી છે `રામાયણ`ની કૈકેયી, જુઓ તસવીરો
તમને જણાવી દઈએ કે આ `રામાયણ` સીરિયલમાં રામ, લક્ષ્મણ, સીતા અને રાવણનું મહત્વ પાત્ર અરૂણ ગોવિલ, સુનીલ લહરી, દીપિકા ચિખલિયા અને અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું. તેમ જ `રામાયણ` સીરિયલે ઘર-ઘરમાં પોતાની એક જ ઓળખ બનાવી છે.