ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મી અંદાજમાં ગોવિંદા સાથે પુન:મિલન કરવા ઈચ્છે છે ઍક્ટર કૃષ્ણા અભિષેક

ફિલ્મી અંદાજમાં ગોવિંદા સાથે પુન:મિલન કરવા ઈચ્છે છે ઍક્ટર કૃષ્ણા અભિષેક

17 February, 2023 11:10 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૃષ્ણા અભિષેક તેના મામા ગોવિંદા સાથે ભાવનાત્મક પુનઃમિલન માટે ઈચ્છે છે. તે કહે છે કે જે રીતે જયા બચ્ચન અને શાહરૂખ ખાનનું ફિલ્મ `કભી ખુશી કભી ગમ`માં રિયુનિયન થયું હતું, તેઓ તેમના મામા સાથે પણ એવું જ ઈચ્છે છે

તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઇવ્ઝ

તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઇવ્ઝ

સૌ જાણે છે કે ટીવી એક્ટર કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) બોલિવૂડ એક્ટર ગોવિંદા (Govinda)નો ભત્રીજો છે. એક સમયે એવો હતો જ્યારે બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું, પરંતુ કેટલાક અંગત મુદ્દાઓને કારણે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. બંને એકબીજા સાથે વાતચીત પણ કરતાં નથી, પરંતુ કૃષ્ણ હજી પણ તેના મામા વિશે સારી વાતો કરે છે.

ચોક્કસપણે સાથે પાછા આવીશું

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કૉમેડિયન કૃષ્ણા કહે છે કે, “તે મારા મામા છે અને હું જાણું છું કે વહેલા કે મોડા અમે ફરી એકસાથે આવીશું. હું હંમેશા માનતો આવ્યો છું કે લોહી પાણી કરતાં ઘટ્ટ છે અને આમાં જ અમારી પાસે ફરીથી એક થવાની શક્તિ છે.” કૃષ્ણા એ પણ કહે છે કે તે ગોવિંદાની રાહ જોઈ રહ્યો છે કે ગોવિંદા એકવાર ગાળો આપીને પણ મામલો ઉકેલી લે.


કૉમેડિયન તેના મામા ગોવિંદા સાથે ભાવનાત્મક પુનઃમિલન માટે ઈચ્છે છે. તે કહે છે કે જે રીતે જયા બચ્ચન અને શાહરૂખ ખાનનું ફિલ્મ `કભી ખુશી કભી ગમ`માં રિયુનિયન થયું હતું, તેઓ તેમના મામા સાથે પણ એવું જ ઈચ્છે છે. તે કહે છે કે, "હું આવું કંઈક બને તેની રાહ જોઈ રહ્યો છું. અમે ક્યાંક-ક્યાંક આ જ રીતે મળી જઈશું.”

કૃષ્ણા ગોવિંદાને દુબઈના મોલમાં મળી હતી


ઇન્ટરવ્યુ દરમિયાન, કૃષ્ણાએ તે સમયને યાદ કર્યો જ્યારે તે અને ગોવિંદા દુબઈના એક મોલમાં મળ્યા હતા. કૃષ્ણ હસે છે અને કહે છે કે, “એકવાર જ્યારે હું ખરીદી કરી રહ્યો હતો, ત્યારે દુકાનદારે મને કહ્યું કે ગોવિંદા મામા ત્યાં છે, તેથી મેં તેમને જોયા. પછી ફિલ્મના દ્રશ્યની જેમ, હું ખરેખર ધીમી ગતિએ તેમની તરફ દોડ્યો અને પછી મારી મામી (ગોવિંદાની પત્ની સુનીતા આહુજા) તે જ ક્ષણે આવ્યાં.

આ પણ વાંચો: TMKOC:રીટા રિપોર્ટર પતિને છોડીને `પોપટલાલ` સાથે બીજા લગ્ન કરશે? શું છે ટ્વિસ્ટ

કૃષ્ણા 8 થી 9 વર્ષ સુધી ગોવિંદા સાથે રહ્યો

કૉમેડિયને એમ પણ કહ્યું કે તે સુનીતા મામીને તેની માતા સમાન માને છે. તેની મામીને તેની સાથે નારાજ અને ગુસ્સે થવાનો પૂરો અધિકાર છે. ગોવિંદા અને સુનિતાને તેના પરિવાર તરીકે વર્ણવતા, કૃષ્ણાએ શેર કર્યું કે તે તેમની સાથે 8-9 વર્ષથી રહ્યો છે અને તેને ખાતરી છે કે એક દિવસ બધું સારું થઈ જશે.

17 February, 2023 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK