Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સાથે કામ નહીં કરે યશરાજ ફિલ્મ્સ?

રણવીર સાથે કામ નહીં કરે યશરાજ ફિલ્મ્સ?

16 April, 2023 03:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧માં આવેલી ‘83’ બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કમાલ ન કરી શકી. ત્યાર બાદ ૨૦૨૨માં આવેલી ‘જયેશભાઈ જોરદાર’ ખરાબ રીતે પટકાઈ હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


યશરાજ ફિલ્મ્સે હાલમાં થોડા સમય સુધી રણવીર સિંહ સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હોય એવી ચર્ચા ચાલી રહી છે. એનું કારણ રણવીરની ફ્લૉપ ગયેલી પાછલી ફિલ્મો છે. ૨૦૨૧માં આવેલી ‘83’ બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કમાલ ન કરી શકી. ત્યાર બાદ ૨૦૨૨માં આવેલી ‘જયેશભાઈ જોરદાર’ ખરાબ રીતે પટકાઈ હતી. ‘સર્કસ’ પણ લોકોની અપેક્ષાએ ખરી ન ઊતરી શકી. આ ફિલ્મોના ખરાબ પરિણામને કારણે યશરાજ ફિલ્મ્સે રણવીર સાથે ફિલ્મ ન બનાવવા માટે થોડો બ્રેક લીધો છે. યશરાજ ફિલ્મ્સે તેમની સ્પાય-યુનિવર્સમાં ભારે રકમ ઇન્વેસ્ટ કરી છે. સલમાન ખાન સાથેની ‘ટાઇગર 3’ પણ બનાવાઈ રહી છે. આ યુનિવર્સની વધુ ફિલ્મો તેઓ બનાવવાના છે અને એ ભારે બજેટની હશે. રણવીર સાથે બનાવાયેલી ફિલ્મોમાંથી માત્ર ૨૦૧૪માં આવેલી એક ‘ગુંડે’ જ સારી ચાલી હતી. જોકે ‘બૅન્ડ બાજા બારાત’, ‘લેડીઝ વર્સસ રિકી બહલ’, ‘બેફિકરે’ અને ‘કિલ દિલ’ પણ કલેક્શનની દૃષ્ટિએ પ્રભાવિત કરી ન શકી.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2023 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK