અક્ષયકુમાર હાલમાં તેની ‘બડે મિયાં છોટે મિયાં’ને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે.
અક્ષય કુમાર , ટ્વિન્કલ ખન્ના
ટ્વિન્કલ ખન્નાનું કહેવું છે કે તેમનાં લગ્નને ૨૦ વર્ષ થયાં છે અને આટલાં વર્ષ બાદ પણ અક્ષયકુમાર તેને હસાવવા માટે સક્ષમ છે. તેમણે ૨૦૦૧ની ૧૭ જાન્યુઆરીએ લગ્ન કર્યાં હતાં. અક્ષયકુમાર હાલમાં તેની ‘બડે મિયાં છોટે મિયાં’ને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. જોકે તેને થોડો સમય મળતાં તે પત્નીને ડેટ પર લઈ ગયો હતો. મંગળવારે રાતે ડેટ પર ગયાં ત્યારનો ફોટો ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કરીને ટ્વિન્કલ ખન્નાએ લખ્યું : ‘૨૦ વર્ષના લગ્નજીવન બાદ પણ તે મને ડેટ દરમ્યાન હસાવી શકે છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)