કેદારનાથ ધામનાં કપાટ ગઈ કાલે ખૂલ્યાં હતાં અને તે આ વર્ષની પહેલી સેલિબ્રિટી છે જે ત્યાં પહોંચી છે
શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને ફેમિલી
શિલ્પા શેટ્ટી કુન્દ્રા ગઈ કાલે કેદારનાથનાં દર્શને ગઈ હતી. તેની સાથે તેની ફૅમિલી પણ હતી, જેમાં શમિતા શેટ્ટીનો પણ સમાવેશ હતો. શિલ્પા દેહરાદૂન ઍરપોર્ટ ગઈ હતી અને ત્યાંથી તે જૉલી ગ્રાન્ટ હેલિપૅડથી હેલિકૉપ્ટરમાં દર્શન કરવા કેદારનાથ ગઈ હતી. ગઈ કાલે સવારે ૭ વાગ્યે પૂજા કરીને કેદારનાથનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં અને આ વર્ષની શિલ્પા પહેલી સેલિબ્રિટી છે જે પહેલા જ દિવસે દર્શન કરવા પહોંચી ગઈ હતી. ગઈ કાલથી કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાંથી બે ધામની હેલિકૉપ્ટર-યાત્રા શરૂ થઈ છે. પહેલું હેલિકૉપ્ટર સવારે સાડાઅગિયાર વાગ્યે જૉલી ગ્રાન્ટ હેલિપૅડથી ઊપડ્યું હતું. શિલ્પા અને તેનાં બાળકો, બહેન, મમ્મી તથા ફૅમિલીના અન્ય સભ્યો જોવા મળી રહ્યાં છે. હજી સુધી કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનાં જ કપાટ ખૂલ્યાં છે.
રણવીર સિંહ અને સાન્યા છે બાબિલ ખાનનાં નવાં ફ્રેન્ડ્સ
ADVERTISEMENT
બાબિલ ખાન હાલમાં નવા ફ્રેન્ડ્સ શોધી રહ્યો છે અને તેની મુલાકાત રણવીર સિંહ અને સાન્યા મલ્હોત્રા પાસે જઈને પૂરી થઈ છે. ઇરફાન ખાનનો દીકરો બૉલીવુડમાં કામ કરી રહ્યો છે અને તેના કામની પ્રશંસા થઈ રહી છે. તે હાલમાં મુંબઈમાં એક સ્ટોર-લૉન્ચની ઇવેન્ટમાં હાજર રહ્યો હતો એ સમયે રણવીર અને સાન્યા પણ ત્યાં હાજર હતાં. તેમની સાથે બાબિલની દોસ્તી થઈ ગઈ છે જેના ફોટો વાઇરલ થયા છે.
ખૂબસૂરત તમન્નાને કઈ છે ખરાબ ટેવ?
તમન્ના ભાટિયા સાઉથની અને બૉલીવુડની ફિલ્મોમાં ઍક્ટિવ છે. ગઈ કાલે તેણે પોતાની એક ખરાબ આદતનો ખુલાસો સોશ્યલ મીડિયામાં કર્યો છે. ઇન્સ્ટાસ્ટોરી પર તમન્નાએ લખ્યું છે કે ‘મારી ખરાબ આદત એ છે કે હું લોકોને એમ કહું છું કે હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. જોકે વાસ્તવિકતા એ છે કે રાતે ૮ વાગ્યા પછી હું કાંઈ નથી કરી શકતી. આમ છતાં જો કાંઈ કરવું પડે એમ હોય તો એને માટે શરત છે કે મને ફૂડ મળવું જોઈએ, વાતાવરણ યોગ્ય હોવું જોઈએ, પાર્કિંગની સુવિધા હોવી જોઈએ અને સાથે જ હું કેટલી થાકેલી છું એના પર પણ આધાર હોય છે.’
મેટ ગાલા વિશે મસ્તી કરી અનન્યા પાંડેએ
અનન્યા પાન્ડેએ હાલમાં જ મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપવા માટે રેડી થઈ રહી હોય એ રીતની એક પોસ્ટ કરી છે. અમેરિકામાં ન્યુ યૉર્કના મૅનહટનમાં યોજાયેલી ફૅશનની બિગેસ્ટ નાઇટ જેને મેટ ગાલા તરીકે ઓળખવામાં આવે છે એમાં આલિયા ભટ્ટ અને ઈશા અંબાણી જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઇવેન્ટની થીમ ‘સ્લીપિંગ બ્યુટી : રીઅવેકનિંગ ફૅશન’ હતી. આથી આ થીમના નામ સાથે મસ્તી કરતાં અનન્યાએ સોફા પર સૂતી હોય અને તેનો મેકઅપ કરવામાં આવી રહ્યો હોય એવો પોઝ આપ્યો હતો.
સરફરોશની રિલીઝનાં પચીસ વર્ષ નિમિત્તે આયોજિત સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઇમોશનલ થઈ ગયા કલાકારો
આમિર ખાનની ‘સરફરોશ’ની રિલીઝનાં પચીસ વર્ષ થવાથી એની સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જુહુના પીવીઆરમાં રાખેલી આ સ્ક્રીનિંગ દરમ્યાન ફિલ્મના કલાકારો આમિર ખાન, સોનાલી બેન્દ્રે બહલ, નસીરુદ્દીન શાહ અને મુકેશ રિશીની સાથે ડિરેક્ટર જૉન મૅથ્યુ મથાન પણ હાજર હતાં. સૌએ ફિલ્મ સાથે જોડાયેલી જૂની વાતોને યાદ કરી હતી. સતેજ શિંદે
ગુરદીપ માટે સુપરહ્યુમન છે વરુણ
વરુણ ધવન ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું શૂટિંગ કરી રહ્યો છે. એ ફિલ્મમાં ‘સંજીવની’ સિરિયલમાં ડૉક્ટર જુહી સિંહના રોલમાં જોવા મળેલી ગુરદીપ પું્જ પણ જોવા મળશે. ગુરદીપે અનેક સિરિયલમાં કામ કરવાની સાથે ‘રાઉડી રાઠોડ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ અને ‘દોનોં’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. હાલમાં તે ‘વંશજ’ સિરિયલમાં જોવા મળી રહી છે. ગુરદીપે વરુણ સાથેનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં ગુરદીપનો હસબન્ડ અર્જુન પુંજ અને તેમની દીકરી તથા દીકરો પણ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગુરદીપે કૅપ્શન આપી હતી, ‘વરુણ ધવન અને ડિરેક્ટર શશાંક ખૈતાન, તમારી સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી. તમે બન્ને સુપરસ્ટાર્સની સાથે જ સુપરહ્યુમન્સ પણ છો. આ ફિલ્મ માટે શુભેચ્છા આપું છું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)