સુસ્મિતા સેને સોશ્યલ મીડિયાથી બ્રેક લેવાનું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે મનની શાંતિ અને સર્જનાત્મકતા માટે થોડો સમય ઇન્ટરનેટ અને ઘોંઘાટથી દૂર રહીને પોતાની સાથે સમય પસાર કરવો જરૂરી છે.
સુસ્મિતા સેન
સુસ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર ખાસ સક્રિય નહોતી. હવે તેણે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમ્યાન આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે દરેક કલાકારને ક્યારેક ચાહકો અને કામથી દૂર રહીને પોતાના માટે પણ સમય કાઢવાની જરૂર હોય છે.
સોશ્યલ મીડિયાથી બ્રેક લેવાનું કારણ જણાવતાં સુસ્મિતાએ કહ્યું હતું કે ‘જીવનમાં આગળ વધવા અને સારું કામ કરવા માટે મનની શાંતિ ખૂબ જરૂરી છે. આ કારણથી હું થોડા સમય માટે ઇન્ટરનેટ અને આસપાસના ઘોંઘાટથી દૂર રહી હતી. મને લાગ્યું કે હવે પોતાને ડિજિટલ ડિટૉક્સ કરવાનો સમય આવી ગયો છે. હું ક્યાંય ગાયબ નથી થતી, ફક્ત મારા ઝોનમાં જાઉં છું અને પછી વધુ સારી બનીને પાછી આવું છું. શાંત વાતાવરણમાં રહેવું અને પોતાની સાથે સમય પસાર કરવો સર્જનાત્મક જીવન માટે ખૂબ મહત્ત્વનું છે.’
