Pushpa 2: ઘટના રાતે લગભગ 10 વાગીને 30 મિનિટે ઘટી. તે દરમિયાન લીડ એક્ટર અલ્લુ અર્જુન એકાએક થિયેટર પહોંચ્યો હતો. તેના પહોંચ્યા બાદ ભીડ બેકાબૂ થઈ ગઈ અને ભીડને સંભાળવા માટે પોલીસ પણ તરત હરકતમાં આવી ગઈ હતી.
પુષ્પા 2
Pushpa 2: ઘટના રાતે લગભગ 10 વાગીને 30 મિનિટે ઘટી. તે દરમિયાન લીડ એક્ટર અલ્લુ અર્જુન એકાએક થિયેટર પહોંચ્યો હતો. તેના પહોંચ્યા બાદ ભીડ બેકાબૂ થઈ ગઈ અને ભીડને સંભાળવા માટે પોલીસ પણ તરત હરકતમાં આવી ગઈ હતી.
સુપરસ્ટાર અલ્લુ અર્જુનની નવી ફિલ્મ Pushpa 2ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદમાં મોટો અકસ્માત થઈ ગયો છે. માહિતી છે કે આયોજન દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. સાથે જ એક બાળક પણ ઈજાગ્રસ્ત થયું છે. પોતે અર્જુન પણ થિયેટર પહોંચ્યા હતા, જેના પછી ભીડ બેકાબૂ થઈ ગઈ અને અકસ્માત થઈ ગયો. આની સાથે જોડાયેલા અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, હૈદરાબાદના આરટીસી ક્રૉસરોડ્સ સ્થિત સંધ્યા થિયેટરમાં બુધવારે રાતે નાસભાગ મચી ગઈ હતી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમામે, 39 વર્ષીય રેવતીનું મૃત્યુ નીપજ્યું છે અને તેમના બાળકને પણ ગંભીર ઇજાઓ થઈ છે, જેના પછી તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. રેવતી પતિ ભાસ્કર અને બે બાળકો સાથે ફિલ્મના પ્રીમિયરમાં પહોંચી હતી.
ભીડમાં પડ્યા બાદ મહિલાને સીપીઆર આપવામાં આવી હતી અને બાદમાં તેને વિદ્યા નગર સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું. આ પછી, પોલીસે બાળકને CPR આપીને પુનર્જીવિત કર્યો અને તેને બેગમપેટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકીની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
View this post on Instagram
આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. તે દરમિયાન મુખ્ય અભિનેતા અલ્લુુ અર્જુન અચાનક થિયેટરમાં પહોંચી ગયો. તેમના આગમન પછી, પોલીસ બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે તરત જ એક્શનમાં આવી ગઈ. ઘટનાના થોડા સમય બાદ અર્જુન ભારે સુરક્ષા અને પોલીસની હાજરીમાં પરત ફરતો જોવા મળ્યો હતો. તેણે ત્યાં હાજર ચાહકોનું અભિવાદન પણ કર્યું.
પુષ્પા 2
પુષ્પા 2: ધ રૂલ એ 2021માં રિલીઝ થયેલી પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે. ફિલ્મમાં અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહદ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ મેકર્સ મોટી ઓપનિંગની અપેક્ષા રાખી રહ્યા છે
લોકોએ મદદ કરી, પરંતુ મહિલા મૃત્યુ પામી
આ વાયરલ વીડિયોમાં પોલીસ અને આસપાસના લોકો પીડિતની મદદ માટે દોડતા જોવા મળી રહ્યા છે. રેવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેને CPR આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પુત્રની હાલત નાજુક છે, જ્યારે રેવતીનું ઇજાઓને કારણે સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
અલ્લુ અર્જુનને જોવા માટે ભીડ થઈ બેકાબૂ
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ અલ્લુ અર્જુનના આવવાના સમાચાર ફેલાતા જ ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. ઘણા લોકો અભિનેતાની નજીક જવા માટે રખડતા હતા. અભિનેતાની સુરક્ષા માટે તેને પોલીસ અને સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધો હતો.