મિસકૅરેજિ અને બાળક દત્તક લેવામાં લાગતા સમયને જોતાં સરોગસી અપનાવી:શિલ્પા
શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ એ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેને અનેક વખત મિસકૅરેજ થતાં અને બાળક દત્તક લેવાની પ્રક્રિયામાં લાગતા સમયને કારણે તેમણે સરોગસીથી બાળક માટે પ્રયાસ કર્યો હતો. શિલ્પા અને તેના હસબન્ડ રાજ કુન્દ્રાના ઘરે આ વર્ષે દીકરીનો જન્મ થયો હતો. તેનું નામ સમીશા છે. તેમને વિઆન નામનો એક દીકરો પણ છે. સરોગસીથી બાળક કેમ અપનાવ્યું એ વિશે શિલ્પાએ કહ્યું હતું કે ‘વિઆન બાદ અમને થોડા સમય માટે બીજું બાળક નહોતું જોઈતું. જોકે હું ઑટો ઇમ્યુન ડિસીઝ જેને APLA કહેવાય છે એનાથી પીડાતી હતી. એથી હું જ્યારે પણ પ્રેગ્નન્ટ થતી એને કારણે અડચણ આવતી હતી. આને કારણે મને મિસકૅરેજિસ પણ થતી હતી. આ એક ખરી સમસ્યા હતી. હું નહોતી ઇચ્છતી કે વિઆન એકમાત્ર બાળક રહે કેમ કે હું જાણું છું કે ભાઈ-બહેન હોવાં ખૂબ જરૂરી છે. એ વિચારને કારણે જ અમે બીજો ઉપાય પણ શોધી કાઢ્યો, પરંતુ એ પણ કામે ન લાગ્યો. અમે દત્તક લેવાનો વિચાર કર્યો હતો. મેં મારું નામ નોંધાવ્યુ હતું અને પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. જોકે બાદમાં ક્રિશ્ચન મિશનરી બંધ થઈ ગઈ હતી. અમે ચાર વર્ષ સુધી રાહ જોઈ હતી. ત્યાર બાદ તો હું ખૂબ કંટાળી ગઈ હતી. એથી અમે સરોગસી અપનાવવાનું નક્કી કર્યું હતું.’