તેઓ કાશ્મીરમાં ‘ખુશી’નું શૂટિંગ કરી રહ્યાં હતાં જ્યાં તેમનો અકસ્માત થયો હતો.
કાશ્મીરમાં બાલ-બાલ બચ્યાં સમન્થા અને વિજય દેવરાકોન્ડા
લદ્દાખમાં ‘ગનપત’નું શેડ્યુલ પૂરું કર્યું ટાઇગર શ્રોફે
ADVERTISEMENT
ટાઇગર શ્રોફે હાલમાં જ ‘ગનપત’નું લદ્દાખનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ક્રિતી સૅનન કામ કરી રહી છે. આ ફિલ્મને વિકાસ બહલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. ફિલ્મના સેટ પરનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ટાઇગરે આ માહિતી આપી હતી. ફોટો શૅર કરીને ટાઇગરે કૅપ્શન આપી હતી કે ‘મારી લાઇફના સૌથી ચૅલેન્જિંગ શેડ્યુલનું શૂટિંગ પૂરું કર્યું છે. શું આવી રહ્યું છે એ તમને દેખાડવા માટે ખૂબ જ આતુર છું.’
કાશ્મીરમાં બાલ-બાલ બચ્યાં સમન્થા અને વિજય દેવરાકોન્ડા
સમન્થા રૂથ પ્રભુ અને વિજય દેવરાકોન્ડા હાલમાં બાલ-બાલ બચી ગયાં છે. તેઓ કાશ્મીરમાં ‘ખુશી’નું શૂટિંગ કરી રહ્યાં હતાં જ્યાં તેમનો અકસ્માત થયો હતો. રવિવારે સમન્થા અને વિજય શ્રીનગરમાં આવેલા દલ લેક પર શૂટિંગ કરી રહ્યાં હતાં. આ શૂટિંગ દરમ્યાન અકસ્માત થતાં તેમનું વાહન પાણીમાં જઈને પડ્યું હતું. જોકે તેમને ઇન્જરી થતાં તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. તેમને ત્યાં ફર્સ્ટ-એઇડ આપવામાં આવી હતી. ત્યાર બાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
કાન ડેબ્યુ બાદ ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટિંગ શરૂ કર્યું પૂજાએ
પૂજા હેગડે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનો ડેબ્યુ કર્યા બાદ હવે ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે સલમાન
ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટિંગ શરૂ કર્યું છે. તે ૭૫મા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વાર જોવા મળી હતી. તે ત્યાં હાજરી આપે એ પહેલાં પણ શૂટિંગ કરી રહી હતી.
જોકે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનો તેને ચાન્સ મળતાં તે શૂટિંગ છોડીને ત્યાં ગઈ હતી. તેણે સાઉથની સાથે બૉલીવુડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મને દિવાળીના એન્ડમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
ક્રીએટિવ મતભેદને લઈને આયુષને ફિલ્મ છોડવા કહ્યું સલમાન ખાને?
આયુષ શર્માને ‘કભી ઈદ કભી દિવાલી’ને છોડી દેવાનું સલમાન ખાને સૂચવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. તેની જગ્યાએ આ ફિલ્મમાં અન્ય ઍક્ટરને પસંદ કરવામાં આવ્યા છે. ‘કભી ઈદ કભી દિવાલી’ને સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ અને ફરહાદ સામજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સલમાન સાથે કામ કરવાને લઈને આયુષ ખૂબ જ ઉત્સાહી હતો. જોકે તેણે આ ફિલ્મને છોડી દીધી છે. તેની જગ્યાએ નવા ઍક્ટરને પસંદ કરવામાં આવ્યો છે. આયુષે ફિલ્મ છોડ્યા બાદ ઝહીર ઇકબાલે પણ ફિલ્મ છોડી હતી અને એથી જ તેમની જગ્યાએ જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમને પસંદ કરવામાં આવ્યા છે. આયુષ અને ફરહાદ વચ્ચે ક્રીએટિવ ડિફરન્સ ઊભા થયા હતા. જોકે આ સમસ્યાનો ઉકેલ ન આવતાં સલમાન ખાને છેલ્લે વચ્ચે પડવું પડ્યું હતું. સલમાને વચ્ચે પડ્યા બાદ આયુષને કહ્યું હતું કે જો તેઓ આ સમસ્યાનું સમાધાન નહીં લાવી શકે તો બેસ્ટ ઑપ્શન છે કે તે ફિલ્મ છોડી દે. જોકે આ નિર્ણય લેવા માટે તેણે આયુષને પૂરેપૂરી સ્વતંત્રતા આપી હતી. આથી આયુષે ફિલ્મ છોડી દીધી હતી.