Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજીવ કપૂરના નિધન બાદ એકલા પડી ગયા રણધીર કપૂર

રાજીવ કપૂરના નિધન બાદ એકલા પડી ગયા રણધીર કપૂર

14 February, 2021 04:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજીવ કપૂરના નિધન બાદ એકલા પડી ગયા રણધીર કપૂર

રાજીવ કપૂરના નિધન બાદ એકલા પડી ગયા રણધીર કપૂર


નાના ભાઈ રાજીવ કપૂરના હાલમાં થયેલા અવસાન બાદ રણધીર કપૂર એકલા પડી ગયા છે. ૫૮ વર્ષની ઉંમરે કાર્ડિઍક અરેસ્ટ બાદ રાજીવ કપૂરે દુનિયામાંથી વિદાઈ લીધી છે. તેઓ રણધીર કપૂર સાથે એક જ ઘરમાં રહેતા હતા. દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખતાં તેમના ચૌથાની વિધિ પણ નથી કરવામાં આવી. જોકે એક નાનકડી વિધિ રાજીવ કપૂરના ઘરે રાખવામાં આવી હતી; જેમાં રણધીર કપૂર, બબીતા, કરિશ્મા કપૂર સાથે ફૅમિલીના અન્ય મેમ્બર્સ હાજર હતા. રાજીવ કપૂરને યાદ કરતાં ૭૩ વર્ષના રણધીર કપૂરે કહ્યું કે ‘ખબર નહીં અચાનક શું થઈ ગયુ. હું રિશી કપૂર અને રાજીવ કપૂર સાથે ખૂબ ક્લોઝ હતો. મારી ફૅમિલીમાંથી મેં ૪ જણને ગુમાવ્યા છે. ઑક્ટોબર ૨૦૧૮માં મારી મમ્મી ક્રિષ્ના કપૂર, ૨૦૨૦ની જાન્યુઆરીએ મોટી બહેન રીતુ, ૨૦૨૦ની એપ્રિલમાં રિશી અને હવે રાજીવ. આ ચારેય મારા માટે ખૂબ અગત્યનાં હતાં. તેમની સાથે હું વધુ વાતો પણ કરતો હતો. હવે હું આ ઘરમાં સાવ એકલો પડી ગયો છું. હું શું કરી શકું? જે થવાનું હતું એ થઈ ગયું.’


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK