Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ભીડ’માં ખરેખર તમાચો મારવા રાજકુમાર રાવે મને કહ્યું હતું : આશુતોષ રાણા

‘ભીડ’માં ખરેખર તમાચો મારવા રાજકુમાર રાવે મને કહ્યું હતું : આશુતોષ રાણા

20 March, 2023 04:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૨૪ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે.

‘ભીડ’માં ખરેખર તમાચો મારવા રાજકુમાર રાવે મને કહ્યું હતું : આશુતોષ રાણા

‘ભીડ’માં ખરેખર તમાચો મારવા રાજકુમાર રાવે મને કહ્યું હતું : આશુતોષ રાણા


આશુતોષ રાણાએ જણાવ્યું કે ‘ભીડ’ના એક સીન દરમ્યાન રાજકુમાર રાવે તેને રિયલમાં લાફો મારવા કહ્યું હતું જેથી એ રિયલ દેખાય. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર, દિયા મિર્ઝા અને ક્રિતિકા કામરા પણ લીડ રોલમાં છે. કોવિડને કારણે લાગેલા લૉકડાઉનમાં લોકોની થયેલી કફોડી હાલત પર ફિલ્મની સ્ટોરી પ્રકાશ પાડશે. આ ફિલ્મ ૨૪ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. રાજકુમાર રાવ વિશે જણાવતાં આશુતોષ રાણાએ કહ્યું કે ‘મને યાદ છે કે રાજકુમારે મને એ સીનને રિયલ અને વિશ્વસનીય દેખાડવા માટે ખરેખર તમાચો મારવાની વિનંતી કરી હતી. શરૂઆતમાં તો હું તૈયાર નહોતો, પરંતુ અનુભવ સિંહાએ આવીને મને જણાવ્યું કે જો રાજકુમાર તૈયાર છે તો તને એ સીન કરવામાં વાંધો શું છે? એથી અમે આગળ વધ્યા અને એક ટેકમાં એ સીન પૂરો કર્યો. કૅમેરાપર્સન સાથે સારો તાલમેલ હતો અને એ સીન ખૂબ અસરકારક બન્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2023 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK