Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રજનીકાન્ત નિકટના મિત્રો સાથે નીકળી પડ્યા છે હિમાલયની આધ્યાત્મિક યાત્રાએ

રજનીકાન્ત નિકટના મિત્રો સાથે નીકળી પડ્યા છે હિમાલયની આધ્યાત્મિક યાત્રાએ

Published : 06 October, 2025 08:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રજનીકાન્તે હાલમાં તેમની ઍક્ટિંગ-કરીઅરમાંથી બ્રેક લીધો છે અને તેઓ કેટલાક નજીકના મિત્રો સાથે યાત્રા પર નીકળી પડ્યા છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


સુપરસ્ટાર રજનીકાન્તે હાલમાં તેમની ઍક્ટિંગ-કરીઅરમાંથી બ્રેક લીધો છે અને તેઓ કેટલાક નજીકના મિત્રો સાથે યાત્રા પર નીકળી પડ્યા છે. રજનીકાન્તની આ યાત્રાની કેટલીક તસવીરો પ્રકાશમાં આવી છે. આમાંથી એક તસવીરમાં તેઓ સાદાં સફેદ કપડાં પહેરીને રસ્તાની બાજુમાં પથ્થરની સપાટી પર મૂકેલા ડિસ્પોઝેબલ પાત્રમાં ભોજન કરી રહ્યા છે. આ સિવાય એક અન્ય તસવીરમાં તેમને એક પુજારી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દર્શાવવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે શનિવારે રજનીકાન્ત હૃષીકેશમાં આવેલા સ્વામી દયાનંદ આશ્રમમાં ગયા અને સ્વામી દયાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સિવાય તેમણે ગંગા તટ પર ધ્યાન પણ કર્યું અને ગંગા-આરતીમાં પણ ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2025 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK