Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > RagNeeti: રિસેપ્શનમાં પરી-રાઘવે કર્યો ખાસ ડાન્સ, આ દિવસે સાસરે કુમકુમ પગલાં પાડશે પરિણીતી

RagNeeti: રિસેપ્શનમાં પરી-રાઘવે કર્યો ખાસ ડાન્સ, આ દિવસે સાસરે કુમકુમ પગલાં પાડશે પરિણીતી

24 September, 2023 09:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દંપતીએ તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા (RagNeeti) અને ઉદયપુરની હૉટેલ લીલા અને તાજ પેલેસ આ ભવ્ય લગ્નના સાક્ષી બન્યા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) આખરે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયાં છે. આ દિવસે દંપતીએ તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા (RagNeeti) અને ઉદયપુરની હૉટેલ લીલા અને તાજ પેલેસ આ ભવ્ય લગ્નના સાક્ષી બન્યા છે. આ બિગ ફેટ પંજાબી લગ્નમાં ભાગ લેવા માટે રાજકારણથી લઈને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ આવી હતી. રાઘવ-પરીના લગ્નના રિસેપ્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિસેપ્શન લગભગ 8:30 શરૂ થયું હોવાની માહિતી છે.


રિસેપ્શનમાં પરી-રાઘવે ખાસ ડાન્સ કર્યો



રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (RagNeeti) 25 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરશે. સાત ફેરા બાદ 24મી સપ્ટેમ્બરે તેમનું ભવ્ય સ્વાગત શરૂ થયું હતુ. બંનેએ ખાસ ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. નવવિવાહિત કપલ ​​પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના વેડિંગ રિસેપ્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે લગભગ 8.30 વાગ્યે શરૂ થશે, જેમાં અનેક પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લેશે.


પરીની વિદાય માટે પહોંચી કાર

વર-કન્યાને લેવા માટે કાર સંપૂર્ણપણે શણગારેલા લીલા પેલેસમાં પહોંચી ગઈ છે. ફોટો સેશન પછી પરી વિદાય લેશે અને તે રાઘવ સાથે રવાના થશે.


પરી-રાઘવના સાત ફેરા પૂરા થયા

સાંજે લગભગ ૬.૩૦ આસપાસ પરી અને રાઘવના ફેરા પુરા થઈ ગયા હતા. ફોટો સેશન ચાલી રહ્યું છે. પરિવાર અને સંબંધીઓ વર-કન્યા સાથે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ મેળવી રહ્યા છે. ફેન્સ નવવિવાહિત કપલની તસવીરોની રાહ જોઈ રહ્યા છે. તેમના લગ્ન લીલા પેલેસમાં થઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં જ પરી અને રાઘવના લગ્નની તસવીરો સામે આવી રહી છે. ફોટા જોઈને ચાહકોમાં પણ ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

વરમાળા દરમિયાન ગાયકોએ ગાયું આ ગીત

`રાઘવ કી હુઈ પરિણીતી` આ ગીત યુગલની વરમાળા પર વગાડવામાં આવ્યું છે. આ ગીત ઉદયપુરના લીલા પેલેસમાં ગુંજી ઉઠ્યું છે. આ ગીત જયમાલા સમારોહ દરમિયાન વગાડવામાં આવ્યું હતું. હવે બધા જ પરી અને રાઘવની એક ઝલકની રાહ જોઈ રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 09:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK