પ્રીતિ ઝિન્ટાએ હાલમાં જ દિલ્હીના કનૉટ પ્લેસ ખાતે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં હતાં. શનિવારે પ્રીતિની IPL ટીમ પંજાબ કિંગ્સે દિલ્હી કૅપિટલ્સ સામે જીત નોંધાવ્યા બાદ પ્રીતિએ આશીર્વાદ મેળવવા માટે મંદિરની મુલાકાત લીધી હતી.
IPLમાં ટીમની જીત પછી પ્રીતિ ઝિન્ટાએ દિલ્હીમાં હનુમાન મંદિરમાં કર્યાં દર્શન
પ્રીતિ ઝિન્ટાએ હાલમાં જ દિલ્હીના કનૉટ પ્લેસ ખાતે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં હતાં. શનિવારે પ્રીતિની IPL ટીમ પંજાબ કિંગ્સે દિલ્હી કૅપિટલ્સ સામે જીત નોંધાવ્યા બાદ પ્રીતિએ આશીર્વાદ મેળવવા માટે મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરના સચિવ દ્વારા સોશ્યલ મીડિયામાં શૅર કરાયેલા એક વિડિયોમાં પ્રીતિ પંજાબી ડ્રેસમાં મંદિર પહોંચી હતી અને તેણે પૂજા-અર્ચના કરીને ત્યાં હાજર લોકો સાથે થોડો સમય વાતચીત પણ કરી.
