Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યુરિન-થેરપી બદલ ટ્રોલ કરનારા લોકોને પરેશ રાવલે આપ્યો વળતો જવાબ

યુરિન-થેરપી બદલ ટ્રોલ કરનારા લોકોને પરેશ રાવલે આપ્યો વળતો જવાબ

Published : 23 July, 2025 07:11 AM | Modified : 24 July, 2025 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે સ્પષ્ટતા કરી કે આ મારા જીવનની એક ઘટના છે જે ૪૦ વર્ષ પહેલાં બની હતી

પરેશ રાવલ

પરેશ રાવલ


થોડા સમય પહેલાં પરેશ રાવલે કહ્યું હતું કે એક તબક્કે જ્યારે તેમને પગના ઘૂંટણમાં ઇન્જરી થઈ હતી ત્યારે તેમણે ફાઇટમાસ્ટર વીરુ દેવગનની સલાહ માનીને સારવારના ભાગરૂપે પોતાનું યુરિન પીધું હતું. પરેશ રાવલના આ ખુલાસાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું અને સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સે પરેશ રાવલની મજાક ઉડાડી હતી અને તેમને ટ્રોલ કર્યા હતા.

હવે આ આખા વિવાદ પર પરેશ રાવલે પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘મેં તે લોકોને તો યુરિન નથી આપ્યુંને? કે પછી શું તેમને એ વાતની સમસ્યા છે કે મેં તેમને નથી આપ્યું? શું તેમને લાગે છે કે યાર, આ એકલો પી ગયો અને અમને નથી આપ્યું? આ મારા જીવનની એક ઘટના છે જે ૪૦ વર્ષ પહેલાં બની હતી. આ ઘટના હું બોલી ગયો એમાં શું થઈ ગયું? લોકોને રાઈનો પહાડ બનાવવામાં મજા આવે છે. તો તેમને મજા કરવા દો.’



પરેશ રાવલે આ ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે તેમના યુરિનનું સેવન કરવાના ખુલાસા બાદ ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ હવે તેઓ આ વિશે વધુ વાત કરવા નથી માગતા.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK