Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અટલ બિહારી વાજપેયીના પાત્રને ઑન-સ્ક્રીન સાકાર કરશે પંકજ ​ત્રિપાઠી

અટલ બિહારી વાજપેયીના પાત્રને ઑન-સ્ક્રીન સાકાર કરશે પંકજ ​ત્રિપાઠી

19 November, 2022 03:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંકજ ​ત્રિપાઠી દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના પાત્રને તેમની બાયોપિકમાં સાકાર કરશે.

અટલ બિહારી વાજપેયીના પાત્રને ઑન-સ્ક્રીન સાકાર કરશે પંકજ ​ત્રિપાઠી

અટલ બિહારી વાજપેયીના પાત્રને ઑન-સ્ક્રીન સાકાર કરશે પંકજ ​ત્રિપાઠી


પંકજ ​ત્રિપાઠી દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના પાત્રને તેમની બાયોપિકમાં સાકાર કરશે. આ ફિલ્મને રવિ જાધવ ડિરેક્ટ કરશે, જેને ત્રણ વખત નૅશનલ અવૉર્ડ મળ્યા છે. ફિલ્મને સંદીપ સિંહ, વિનોદ ભાનુશાલી, કમલેશ ભાનુશાલી અને સૅમ ખાન મળીને પ્રોડ્યુસ કરશે. આવતા વર્ષે ક્રિસમસ દરમ્યાન આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. અટલ બિહારી વાજપેયીના રોલને ભજવવા વિશે પંકજ ​િત્રપાઠીએ કહ્યું કે ‘એક દયાળુ નેતાનું પાત્ર ઑન-સ્ક્રીન ભજવવાની તક મળવી એ મારા માટે સન્માનની વાત છે. તેઓ માત્ર એક નેતા નહોતા, પરંતુ એનાથી પણ વિશેષ હતા. તેઓ શ્રેષ્ઠ લેખક અને જાણીતા કવિ હતા. તેમના પાત્રને ભજવવું ઍક્ટર તરીકે મારા માટે ગૌરવ લેવા જેવી બાબત છે.’ ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પંકજ ​િત્રપાઠીએ કૅપ્શન આપી હતી, ‘ભારત એક જમીનનો ટુકડો નથી, પરંતુ જીવંત રાષ્ટ્રપુરુષ છે.’ આ પંક્તિઓ લખનારા મહાન નેતા શ્રી અટલ બિહારી વાજપેયીની ભૂમિકા મને મોટા પરદા પર સાકાર કરવાની તક મળી છે એ મારા માટે સૌભાગ્યની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK