Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ નૉર્મલ લાઇફ નથી જીવતા, દરેક ક્ષણે ઍક્ટિંગ કરે છે, મને તેમની દયા આવે છે

અમિતાભ નૉર્મલ લાઇફ નથી જીવતા, દરેક ક્ષણે ઍક્ટિંગ કરે છે, મને તેમની દયા આવે છે

Published : 31 May, 2025 11:52 AM | Modified : 01 June, 2025 06:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૌસમી ચૅટરજીએ કહ્યું કે બિગ બી હંમેશાં પોતાની ઇમેજને સાચવવામાં જ લાગેલા હોય છે. મને તો ઘણી વખત તેમના પર દયા પણ આવે છે કે તેઓ બિચારા દરેક સમયે ફક્ત અભિનય જ કરે છે.’

મૌસમી ચૅટરજી અને અમિતાભ બચ્ચન

મૌસમી ચૅટરજી અને અમિતાભ બચ્ચન


મૌસમી ચૅટરજી તેની ઍક્ટિંગની સાથે સાથે બૉલ્ડ નિવેદનોના કારણે જાણીતી છે. હાલમાં મૌસમીએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વિશે મોટું નિવેદન આપ્યું છે. મૌસમીએ કહ્યું છે કે ‘અમિતાભ પોતાની ઇમેજનો ભોગ બની ગયા છે. તેઓ હંમેશાં પોતાની ઇમેજને સાચવવામાં જ લાગેલા હોય છે. તે દરેક ક્ષણે ઍક્ટિંગ કરતા હોય એમ લાગે છે. મને ઘણી વખત તેમના પર દયા આવે છે.’
એક ઇન્ટરવ્યુમાં મૌસમીએ જણાવ્યું હતું કે ‘અમિતાભ એક ખૂબ મોટી હસ્તી છે. આ કારણે તેઓ નૉર્મલ જીવન નથી જીવતા. તેમની ઇમેજ એટલી મોટી છે કે તેઓ દરેક સમયે એ ઇમેજને જાળવી રાખવા માટે અભિનય કરતા રહે છે. તેઓ આ ઇમેજનો ભોગ બની ગયા છે. તેથી તેઓ હંમેશાં પોતાના શબ્દોનું ધ્યાન રાખે છે. ખૂબ વિચારીને બોલે છે અને હંમેશાં ઍક્ટિંગ કરતા રહે છે, કારણ કે આ ઉપરાંત તેમને ન તો કંઈ આવડે છે અને ન તો તેઓ કંઈ કરી શકે છે. મને તો ઘણી વખત તેમના પર દયા પણ આવે છે કે તેઓ બિચારા દરેક સમયે ફક્ત અભિનય જ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK