મલાઇકા અરોરાનું કહેવું છે કે અરબાઝ ખાન સાથે ડિવૉર્સ તેની લાઇફનો ખૂબ કપરો સમય હતો
મલાઇકા અરોરા, અરબાઝ ખાન
મલાઇકા અરોરાનું કહેવું છે કે અરબાઝ ખાન સાથે ડિવૉર્સ તેની લાઇફનો ખૂબ કપરો સમય હતો. એને કારણે જીવનમાં ઘણી ઊથલપાથલ પણ થઈ હતી. આ બન્નેને લગ્નજીવન દરમ્યાન અરહાન ખાન નામનો એક દીકરો પણ છે. ૨૦૧૭માં તેમણે ડિવૉર્સ લઈને પોતાના માર્ગ જુદા કરી નાખ્યા હતા. ત્યાર બાદ મલાઇકાના અર્જુન સાથે અને અરબાઝના જ્યૉર્જિયા ઍન્ડ્રિયાની સાથે રિલેશન છે. ડિવૉર્સ વિશે મલાઇકાએ કહ્યું કે ‘મારા દિમાગમાં અનેક વિચારો ભમ્યા કરતા હતા. મારા માટે એ લાઇફનો ખૂબ જ અસહ્ય તબક્કો હતો. મારી લાઇફમાં ખૂબ ઊથલપાથલ થઈ હતી. એ પરિવર્તનનો સામનો કરવો માત્ર પર્સનલ નહોતો કારણ કે એમાં પરિવારો, મારું બાળક અને અન્ય મુદ્દાઓ પણ સામેલ હતા. મારો નિર્ણય મારી આસપાસના તમામ લોકો પર અસર કરનારો હતો. અમે હસબન્ડ અને વાઇફે સાથે મળીને નક્કી કર્યું કે જે બન્નેના હિતમાં હોય એ નિર્ણય લઈએ. મારી લાઇફમાં એ ખૂબ અઘરો અને તકલીફદેહ તબક્કો હતો.’